શાકભાજીમાં સતત ભાવવધારા બાદ આવ્યા રાહતના સમાચાર -આ તારીખથી ભાવોમાં થઈ જશે એકદમ ઘટાડો

હાલમાં કોરોના મહામારીને કારણે તમામ વસ્તુઓનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આપ સૌની માટે એક રાહતનાં સમાચાર સામે આવી રહ્યાં છે.કોરોના મહામારીમાં લોકોનું જીવન આમ પણ વેર-વિખેર થઈ ગયું છે. સામાન્ય આદમીનું તમામ બજેટ ખોરવાઈ ગયું છે.

એક બાજુ લોકડાઉનને લીધે નોકરી જઈ રહી છે તો બીજી બાજુ મોંઘવારીનો માર પડી રહ્યો છે. દિલ્હી સહિત દેશનાં કેટલાંક શહેરોમાં પહેલાં શાકભાજી કુલ 20-30 રૂપિયે કિલોગ્રામ મળતી હતી, હવે એ જ શાકભાજીનો ભાવ કુલ 100 રૂપિયાથી પણ વધુ થઈ ગયો છે.

બ્રોકલી જેવી શાકભાજી તો કુલ 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી પણ વધુ રૂપિયામાં વેચાઈ રહી છે. ધંધાદારીઓનું એવું જણાવવું છે, કે વધુ વરસાદને લીધે એની આવક ઘણી ઘટી ગઈ છે. આની સાથે જ ટમેટા જેની જલ્દી ખરાબ થનાર શાકભાજીને પણ વરસાદને લીધે નુકસાન પહોંચ્યું છે.

જો, કે એવું જણાવવામાં આવી રહ્યું છે, કે 10 સપ્ટેમ્બર બાદ શાકભાજીનાં ભાવમાં ઘટાડો થશે.દિલ્હીનાં બજારોમાં ટમેટા કુલ 60-80 રૂપિયે કિલો તથા બટેટા કુલ 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. એ જ રીતે મરચાં, રીંગણા, ભીંડા વગેરેના ભાવ પણ આસમાને પહોંચી ગઈ છે.

આ ભાવ વધારાને લીધે લોકો ભારે પરેશાન થઈ ગયાં છે તથા ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવે આ સારા સમાચાર સાંભળીને લોકોમાં ઘણો ઉત્સાહ રહેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *