AAPની મહેનત લાવી રંગ: ફી વધારા મુદ્દે ગઈ કાલે સુરતમાં કરવામાં આવ્યો હતો ઉગ્ર વિરોધ- આજે શાળા દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ત્યારે આવતીકાલે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ફી વધારા અંગે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના નગરસેવકો તેમજ શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ હિરપરાની આગેવાનીમાં વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે આવેલ હરેકૃષ્ણ વિદ્યાલય ખાતે વાલીઓએ ફી-વધારાનો નારા સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ હિરપરાએ જણાવતા કહ્યું હતું કે, સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે કોરોના કાળની અંદર વિદ્યાર્થીઓ ભણવા માટે શાળાએ નથી ગયા તે માટે તેમની ફી માં 25 ટકા ઘટાડીને લેવામાં આવે પરંતુ આ તો તેના ઉલટાનું ફીમાં વધારો કરી દેવામાં આવ્યો હતો, જે મુદ્દે વાલીઓ અને શિક્ષણ સમિતિના સદસ્ય રાકેશ હિરપરાની આગેવાની હેઠળ શાળા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રાકેશ હિરપરાએ જણાવતા કહ્યું છે કે, અમુક વાલીઓતો એવા છે જેમના બાળકોએ એક કે દોઢ વર્ષથી શાળામાં અભ્યાસ માટે નથી આવ્યા અને તેમણે LC જોતું છે. તેવા વિધાર્થીઓને LC આપવાની ના પાડી રહ્યા હતા. પરીક્ષાના પ્રશ્નપત્રની ઉતારવહીઓ જયારે વિધાર્થીઓ શાળાને લખીને મોકલે છે, ત્યારે શાળા દ્વારા વિધાર્થીઓની ઉતારવહીઓ સ્વીકારવાની ના પડે છે. સાથે સાથે શાળા ત્રણ મહિનાની ફી એડવાન્સમાં માંગી રહી છે. હજુ ત્રણ મહીના પૂર્ણ નથી ત્યાં શાળા એડવાન્સમાં ફી માંગી રહી હતીં.

ગઈ કાલે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ ઉગ્ર વિરોધને પગલે શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ તેમજ આચાર્યએ મહત્વનો નિર્ણય લીધો છે. વરાછાના યોગીચોક સ્થિત આવેલ હરેકૃષ્ણ સ્કૂલમાં ગયા વર્ષની એટલે કે 2020-21ની જે સંસ્થાની ફી હતી તેમાં 50 % ફી માફ કરેલ છે અને બાકી રહેલી 50% ફી દરેક ધોરણના વિધાર્થીઓને ફરીજીયાત ભરવાની રહેશે, પછી વિધાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કર્યો હોય કે ઓફલાઈન. સાથે સાથે શાળા દ્વારા હજુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જણાવતા કહ્યું છે કે, ચાલુ વર્ષ 2021-22માં 12 % ફી વધારી છે એ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે અને કહ્યું છે કે ચાલુ વર્ષ 2021-22માં કોઈ ફી વધારો કરવામાં આવશે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *