પૂરપાટ ઝડપે આવતા ટ્રકે કારને હવામાં ઉડાવી સર્જ્યો ગંભીર અક્સ્માત- ચાર લોકોના થયા કમકમાટી ભર્યા મોત

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મંગળવારે મોડી રાત્રે મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉન્હેલની ઇંગોરિયા ચોપાટી પર એક કાર ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4…

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મંગળવારે મોડી રાત્રે મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઉન્હેલની ઇંગોરિયા ચોપાટી પર એક કાર ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત નીપજ્યા હતા. બધા ચાદર અને ધાબળાનો ધંધો કરતા હતા. અકસ્માત સમયે તે દેવાસ જિલ્લાના સતવાસથી નીમચ જઈ રહ્યા હતા.

ઉન્હેલ પોલીસ સ્ટેશનના ટીઆઈ ડી.આર. જોગાવતે જણાવ્યું હતું કે, કાર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી ત્યારે 2 લોકોના મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ 2 લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓનું પણ રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા.

અકસ્માતમાં કાર ચાલક કૈલાશ પિતા લક્ષ્મીનારાયણ, રાહુલ પુત્ર કિશનલાલ, કુકારામ પુત્ર બગાજી, લાલારામ પુત્ર શંકરલાલનું મોત નીપજ્યું છે. તે તમામ નીમચ જિલ્લાના અલોરી ગરબાડાના રહેવાસી છે. પોલીસે ચિત્તોડગઢના પોલીસ સ્ટેશનના નિમ્બહેરાના ચરાલીયા ગામના રહેવાસી ટ્રક ચાલક ઘનશ્યામ પુત્ર ભવરલાલ સામે રિપોર્ટ નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *