એવું તો શું થયું કે, લગ્નના પાંચ મહિનામાં જ નવયુગલે એકસાથે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

રાજકોટ(Rajkot): વધતી જતી આપઘાતની ઘટનાઓમાં વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જેમાં પતિ પત્નીએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના જય જવાન જય કિશાન(Jai Jawan Jai Kishan) સોસાયટીમાં ઘર કંકાશને કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે જો કે ચોક્કસ કારણ જાણવા બી. ડિવિઝન પોલીસે પરિવારના નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

ગૃહક્લેશમાં આપઘાત કર્યો હોવાની શંકા:
મળતી માહિતી અનુસાર, લગ્નના પાંચ મહિનામાં જ નવયુગલે સજોડે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના મોરબી રોડ પરની જય જવાન જય કિશાન સોસાયટીમાં બની છે. બાબુભાઈ વીનુભાઈ સોલંકી (21) અને તેમના પત્ની મમતાબેન (20)એ વહેલી સવારે સાતેક વાગ્યે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી ગઈ હતી. આ પછી તપાસ કરતા પ્રાથમિક તારણમાં નવદંપતિએ ગૃહ ક્લેશમાં આપઘાત કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો:
પોલીસ ઘટના સ્થળે પહોચ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારજનોના નિવેદન નોંધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન બાબુ વીડિયો શૂટિંગનું કામ કરતો હતો અને પાંચ માસ પૂર્વે જ યુવકના લગ્ન થયા હતા અને ઘરમાં નાના મોટા કંકાશ થતા હતા, જેના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *