મોટા સમાચાર: ગુજરાત કોંગ્રેસમાંથી કયા દિગ્ગજ નેતાઓ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી- જાણો અહિયા

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી(Assembly elections)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકીય પક્ષો ફૂલ જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પછી તે ભાજપ, કોંગ્રેસ…

ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી(Assembly elections)ના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકીય પક્ષો ફૂલ જોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પછી તે ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી. છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. ત્યારે હવે કોંગ્રેસ(Congress)ને લઈ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે. જાણવા મળ્યું છે કે, આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે.

જાણો ક્યાં દિગ્ગજ નેતાઓ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી:
જો વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડશે
આંકલાવથી અમિત ચાવડા ચૂંટણી લડશે, અમરેલીથી પરેશ ધાનાણી ચૂંટણી લડશે, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી ચૂંટણી લડશે, દાણીલીમડાથી શૈલેષ પરમાર ચૂંટણી લડશે, બાપુનગરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે, છોટાઉદયપૂરના, જેતપુરથી સુખરામ રાઠવા ચૂંટણી લડશે, વડગામથી જીગ્નેશ મેવાણી ચૂંટણી લડશે, ઉનાથી પુંજા વંશ ચૂંટણી લડશે અને
ખંભાળિયાથી વિક્રમ માડમ ચૂંટણી લડશે.

જાણો ભરતસિંહ સોલંકીએ શું આપ્યું હતું નિવેદન:
કોંગ્રેસની રાધનપુર ખાતે પહોંચેલી પરિવર્તન યાત્રામાં કોંગ્રેસના અગ્રણી નેતા ભરત સિંહ સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે ટેકો લેવા તૈયાર તેમ ભરત સોલંકીએ જણાવ્યું છે. રાધનપુરમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભરતસિંહ આ નિવેદન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *