Lata Mangeshkar ના અંતિમ સંસ્કારમાં શાહરૂખ ખાન સાથે ગયેલી આ મહિલા કોણ છે? જાણી દરેક લોકો છે હેરાન

ભારત રત્ન (Bharat Ratna) લતા મંગેશકર (Lata Mangeshkar) નું 6 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. Lata Mangeshkar ના નિધન બાદ બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ તેમને…

ભારત રત્ન (Bharat Ratna) લતા મંગેશકર (Lata Mangeshkar) નું 6 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. Lata Mangeshkar ના નિધન બાદ બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ તેમને અંતિમ વિદાય આપવા માટે મુંબઈના શિવાજી પાર્ક પહોંચ્યા હતા. શાહરૂખ ખાને પણ લતા દીદીના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. તેમણે દીદીને શ્રદ્ધાંજલિ આપી અને તેમના માટે પ્રાર્થના પણ કરી. લતા અને શાહરૂખ બંનેના ચાહકો માટે તે ભાવનાત્મક ક્ષણ હતી. શાહરૂખ ખાન 6 ફેબ્રુઆરીએ લાંબા સમય પછી જાહેરમાં જોવા મળ્યો હતો.

Lata Mangeshkar ના અંતિમ સંસ્કાર દરમિયાન શાહરૂખ ખાન સાથે એક મહિલા પણ જોવા મળી હતી. જ્યારે શાહરૂખે પ્રાર્થનામાં દુઆ માંગી ત્યારે આ મહિલાએ હાથ જોડીને લતા મંગેશકર માટે પ્રાર્થના કરી. બંનેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. કેટલાક લોકોનું કહેવું છે કે, શાહરૂખ ખાનની સાથે તેની પત્ની ગૌરી ખાન પણ હતી. શાહરૂખ અને ગૌરીએ સાથે મળીને Lata Mangeshkar ને શ્રદ્ધાંજલિ આપી હતી, પરંતુ તે એવું નથી.

જાણવા મળ્યું છે કે, શાહરૂખ સાથે આવનાર મહિલા તેની મેનેજર પૂજા દદલાની હતી. Lata Mangeshkar માટે પ્રાર્થના કરતા પૂજા અને શાહરૂખ ખાનની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર પૂજા દદલાની ઘણીવાર શાહરૂખ ખાન અને તેના પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે. પૂજા દદલાનીની મિત્રતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન કરતાં ઘણી સારી છે. બંને ઘણીવાર સાથે હેંગઆઉટ કરતા અને તે સમયે પાર્ટી કરતા જોવા મળે છે.

એવી પણ માહિતી મળી છે કે, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ફસાયો હતો ત્યારે પણ પૂજા સુનાવણી માટે કોર્ટમાં જતી જોવા મળી હતી. પૂજા દદલાની પણ ડ્રગ્સ કેસમાં નામના કારણે ચર્ચામાં હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *