ATMમાંથી 2000 રૂપિયાની નોટો થઇ રહી છે ગાયબ? રિઝર્વ બેંકે આપી સૌથી મોટી જાણકારી

રિઝર્વ બેંકે(RBI) તેના વાર્ષિક અહેવાલમાં આ વિશે મોટી માહિતી આપી છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટની અછતને લઈને એક મોટું કારણ સામે આવ્યું…

રિઝર્વ બેંકે(RBI) તેના વાર્ષિક અહેવાલમાં આ વિશે મોટી માહિતી આપી છે. રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટની અછતને લઈને એક મોટું કારણ સામે આવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22માં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. જેના કારણે બજારમાં 2000 રૂપિયાની નોટનું ચલણ ઘટી ગયું છે.

2000ની નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી?
નવેમ્બર 2016માં નોટબંધી બાદ રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી. 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ તમામ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ તે નોટોના મૂલ્યને સરળતાથી ભરપાઈ કરશે, જે ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, 2000 રૂપિયાની નોટ બહાર આવવાથી બાકીની નોટોની જરૂરિયાત ઘટી ગઈ છે.

શું બંધ થઇ ગઈ છે નોટો?
31 માર્ચ, 2017ના રોજ, ચલણમાં રહેલી નોટોના કુલ મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 50.2% હતો. તે જ સમયે, 31 માર્ચ, 2022 ના રોજ, ચલણમાં રહેલી કુલ નોટોના મૂલ્યમાં રૂ. 2000ની નોટોનો હિસ્સો 13.8 ટકા હતો. જોકે, રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બંધ કરી નથી પરંતુ તે છાપવામાં આવી રહી નથી.

ક્યારથી નથી છપાઈ નોટ?
વર્ષ 2017-18 દરમિયાન દેશમાં સૌથી વધુ 2000ની નોટો ચલણમાં હતી. આ દરમિયાન બજારમાં 2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેમની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં માહિતી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. વાસ્તવમાં, સરકાર RBI સાથે વાત કર્યા પછી નોટ છાપવા અંગે નિર્ણય લે છે. એપ્રિલ 2019 થી, કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી. 2000 રૂપિયાની નોટો ન છાપવાના કારણે હવે તે લોકોના હાથમાં ઓછી દેખાઈ રહી છે. આ જ કારણ છે કે એટીએમમાંથી પણ આ નોટો ભાગ્યે જ બહાર આવી રહી છે. આગામી સમયમાં રિઝર્વ બેંક તેને છાપવાનું શરૂ કરશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *