ફ્રાંસમાં ફસાયેલી ફ્લાઈટમાં 303 મુસાફરો માંથી 276 જ ભારત કેમ આવ્યા? સેન્ટ્રલ એજન્સી પાસેથી મંગાવ્યા ઇનપુટ

France Flight Case :  માનવ તસ્કરીની શંકાને કારણે ફ્રાન્સમાં ચાર દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવેલ વિમાન આખરે 276 મુસાફરોને લઈને મંગળવારે વહેલી સવારે મુંબઈ પહોંચ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે એરબસ A340 પ્લેન વહેલી સવારે 4 વાગ્યા પછી મુંબઈ પહોંચ્યું હતું. અને પ્લેન સ્થાનિક સમય અનુસાર સવારે 2.30 વાગ્યે વાત્રી એરપોર્ટથી ટેકઓફ થયું અને સવારે 4 વાગ્યે મુંબઈ એરપોર્ટ પહોંચ્યું.ત્યારે ફ્રાન્સ( France Flight Case )થી ભારત પહોંચેલા વિમાનમાં 276 મુસાફરો આવી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાંથી આવતા મોટાભાગના મુસાફરો ભારતીય નાગરિક છે. યુએઈથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનને જ્યારે ફ્રાન્સમાં રોકવામાં આવ્યું ત્યારે તેમાં 303 પેસેન્જર હતા, પરંતુ જે પ્લેન મુંબઈ આવ્યું હતું તેમાં માત્ર 276 પેસેન્જર હતા. હવે સવાલ એ થાય છે કે 27 મુસાફરો કેમ ન આવ્યા, તેમનું શું થયું, શું તેમને ત્યાં રોકી દેવામાં આવ્યા છે? તો આવો વિગતવાર તેના વિષે જાણીએ…

અન્ય મુસાફરોનું શું થયું?
ફ્રેન્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે પ્લેન મુંબઈ માટે આવી રહ્યું હતું તેમાં 276 મુસાફરો સવાર હતા અને બે સગીર સહિત 25 લોકોએ ફ્રાન્સમાં રહેવા માટે અરજી કરી છે અને હાલમાં તેઓ ફ્રાન્સમાં છે. એક ફ્રેન્ચ ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો હતો કે અન્ય બે મુસાફરોને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને સહાયક સાક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે જ્યારે વિમાન વત્રી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા, જેમાંથી 11 સગીર હતા.

માનવ તસ્કરીની આશંકાથી પ્લેન રોકાયું
અધિકારીએ કહ્યું હતું કે ગ્રાઉન્ડેડ એરક્રાફ્ટમાં સવાર મુસાફરો માટે પથારીની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને તેમને શૌચાલય તેમજ સ્નાન કરવાની સુવિધાઓ આપવામાં આવી હતી અને તેમને વત્રી એરપોર્ટ પરિસરમાં ખોરાક અને ગરમ પીણાં આપવામાં આવ્યા હતા. રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સ દ્વારા સંચાલિત દુબઈથી નિકારાગુઆની ફ્લાઈટને ગુરુવારે વેત્રી એરપોર્ટ પર ટેકનિકલ સ્ટોપ માટે અટકાવવામાં આવી હતી.ફ્રેન્ચ સત્તાવાળાઓએ સફરની શરતો અને હેતુ અંગે ન્યાયિક તપાસ શરૂ કરી અને સંગઠિત અપરાધની તપાસમાં વિશેષતા ધરાવતા એક યુનિટે માનવ તસ્કરીની શંકાના આધારે તપાસ હાથ ધરી.

ફ્લાઈટ 4 દિવસથી અટવાઈ હતી
વાસ્તવમાં, 276 મુસાફરો (મોટાભાગે ભારતીયો)ને લઈને જતી ફ્લાઈટ 4 દિવસ સુધી અટવાઈ રહી અને આજે આખરે મુંબઈ પહોંચી ગઈ. રોમાનિયન કંપનીનું આ વિમાન સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 2.30 કલાકે વાત્રી એરપોર્ટથી રવાના થયું હતું અને આજે વહેલી સવારે 4 વાગ્યે મુંબઈ પહોંચ્યું હતું. રિપોર્ટ અનુસાર, આ પ્લેનમાં હાજર મોટાભાગના મુસાફરો હિન્દી અને તમિલ ભાષા બોલતા હતા. પહેલું વિમાન સોમવારે સવારે લગભગ 10 વાગે ટેકઓફ થવાની ધારણા હતી.તો કેટલાક મુસાફરો તેમના વતન પરત ફરવા માંગતા ન હતા, જેના કારણે પ્લેન મોડું પડ્યું હતું.તેમજ કેટલાક મુસાફરો નાખુશ હતા, કારણ કે તેઓ યોજના મુજબ તેમની સફર ચાલુ રાખવા માંગતા હતા.

શા માટે નિકારાગુઆ એક પ્રિય સ્થળ છે?
યુનાઇટેડ સ્ટેટ્સમાં આશ્રય શોધનારાઓ માટે નિકારાગુઆ એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલ (CBP) દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023 માં 96,917 ભારતીયોએ ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને આ સંખ્યા પાછલા વર્ષ કરતાં 51.61 ટકા વધુ છે.

ફ્લાઇટમાં હાજર લોકોમાંથી ત્રીજા ભાગના લોકો ગુજરાતના
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા પ્લેનમાં લગભગ એક તૃતીયાંશ લોકો ગુજરાતના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્રેન્કની વેટ્રીમાં અટકાયત કરાયેલા 303 મુસાફરોમાંથી 96 લોકો ગુજરાતના છે. આ કેસમાં ગુજરાત ટ્રાફિકિંગના સાગરીત શશી કિરણ રેડ્ડી સાથે કનેક્શન છે. પકડાયેલા પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મૂકાયા છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ચેતન નામનો યુવક આજથી લગભગ બે થી ત્રણ મહિના પૂર્વે અમેરિકા જવા માટે તેની બાજુના ગામના કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હોવાની આશંકા છે. ત્યારે હવે ફ્રાન્સના એરપોર્ટથી નામ ખૂલશે તો જ સત્ય બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *