બે બાળકો અને પત્નીને મોતને ઘાટ ઉતારી પોતે પણ પંખે લટકી ગયો… જાણો ક્યા બની આ દર્દનાક ઘટના

ગાઝીપુર(Ghazipur): યુપી (UP)ના ગાઝીપુરમાં રવિવારે રાત્રે વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે બાળકોની હત્યા(Murder) કર્યા બાદ પોતે…

ગાઝીપુર(Ghazipur): યુપી (UP)ના ગાઝીપુરમાં રવિવારે રાત્રે વધુ એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ તેની પત્ની અને બે બાળકોની હત્યા(Murder) કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. માહિતી મળતાં જ એસપી રામબદન સિંહ ભારે પોલીસ બળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહ પર કબજો મેળવીને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી આપ્યો હતો. ત્યારે બીજી તરફ મૃતકના ઘરમાં અંધાધૂંધીનો માહોલ છે. આ ઘટના પાછળ આર્થિક તંગી અને પારિવારિક વિખવાદનો મામલો સામે આવી રહ્યો છે. હાલ પોલીસ(Police) અનેક એંગલથી તપાસમાં લાગેલી છે. તેમજ એકસાથે ચાર લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાયેલું છે.

આ ઘટના ગાઝીપુરના સાદત શહેરની છે. આ ચકચારી ઘટનામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુવકે પહેલા તેની પત્નીને માર માર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી. આ પછી બંને પુત્રોની પણ હત્યા કરવામાં આવી હતી. પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ તેણે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારબાદ સવારે દરવાજો ન ખૂલતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડ્યો તો ચારેયના મૃતદેહ પડેલા મળી આવ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, સોનકર નામનો આ વ્યક્તિ રેલવે સ્ટેશન પર સ્ટોલ નાખતો હતો. તેના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. તેને બે બાળકો હતા. સોનકર અવારનવાર દારૂ પીને ઘરે આવતો હતો. જેના કારણે તે તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો અને મારપીટ પણ કરતો હતો. પાડોશીઓના કહેવા મુજબ શનિવારે પણ મોડી રાત સુધી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. પરંતુ સવાર સુધી દરવાજો ન ખુલતાં પાડોશીઓએ જઈને અવાજ આપ્યો હતો. લાંબા સમય સુધી દરવાજો ખટખટાવ્યા બાદ પણ અંદરથી કોઈ જવાબ ન મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર, સોનકર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસે તેની પત્ની અને બે બાળકોના મૃતદેહ પડ્યા હતા. ત્રણેયના ગળા પર નિશાન હતા. પત્નીના માથા અને શરીર પર એમ અનેક જગ્યાએ નિશાન હતા. ઘટનાની જાણ થતાં સેંકડો લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ગાઝીપુરના એસપી રામબદન સિંહે કહ્યું કે તપાસ ચાલી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *