સુરતમાં પત્ની અને દિયરે મળી પતિની કરી હત્યા -જાણો હત્યા પાછળનું ચોંકાવનારૂ કારણ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક યુવાનનું બેભાન થયા બાદ શંકાસ્પદ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જેમાં યુવાનનું મોત ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તપાસ હાથ ધરતા પત્નીએ જ દૂરના દિયર સાથે મળી પતિની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી બેકાર પતિ પૈસા માંગી મારઝૂડ કરતો હોય પત્નીએ દૂરના દિયર સાથે મળી હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

સમગ્ર ઘટના શું હતી?
પાંડેસરા ગોવાલક રોડ પર ક્ષેત્રપાળ સોસાયટીમાં ભાડેના મકાનમાં ગૌરખ ભાનુપ્રસાદ ચૌહાણ પત્ની સાથે રહેતો અને મજૂરીકામ કરતો હતો. છેલ્લા થોડા સમયથી કામ ધંધો થતો ન હોવાથી પત્ની મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. પતિ પત્નીને મારઝૂડ કરતો હતો. બે દિવસ પતિ-પત્નીનો ઝઘડો થયો અને પતિએ પત્નીને માર માર્યો હતો. જેના કારણે નજીકમાં રહેતો માસી સાસુનો દીકરો રાજેશ શત્રુઘ્ન પ્રસાદ દોડી આવ્યો હતો અને પતિને માર મારી પત્નીને તેના ઘરે લઈ ગયો હતો. બીજા દિવસે સવારે પત્ની ઘરે આવી તો પતિ પાછો તેને મારવા ઊભો થતા પત્નીને તેના હાથમાંથી લાકડાનો ફટકો લઈ તેને જ મારી દીધો અને તેવામાં પતિનો માસીના દીકરા રાજેશ પ્રસાદે તેને માર માર્યો અને મામલો બેભાનમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

પૂછપરછમાં હત્યા કર્યાની કબૂલાત કરી
યુવાન ગૌરખના શરીર ઉપર નિશાન હતા અને ઘસરકાના પણ નિશાન મળતા પાંડેસરા પોલીસે શંકાને આધારે તેની પત્ની પુષ્પાદેવી અને તેમના ઘરની નજીક પ્લોટ નં.30 માં રહેતા ગૌરખના માસીયાઈ ભાઈ રાજેશ શત્રુઘ્ન પ્રસાદ સાથે પુછપરછ કરી તપાસ કરતા તેમના નિવેદન જુદા જુદા જણાયા હતા. આ દરમિયાન, પોસ્ટમોર્ટમમાં ગૌરખનું મોત ઇજાને કારણે થયું હોવાનો ખુલાસો થતા પોલીસે પુષ્પાદેવી અને તેના દૂરના દિયર રાજેશની ઉલટતપાસ કરતા બંનેએ ગૌરખની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.

ફટકા દ્વારા માર મારી મોતને ઘાટ ઉતાર્યો
પુષ્પાદેવી સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી તેનો પતિ બેકાર હતો અને તેની પાસે પૈસા માંગી અવારનવાર માર મારતો હતો. ગૌરખ જમતો ન હોય તે નજીકમાં રહેતા રાજેશને બોલાવી લાવતા ગોરખે તેના કહેવાથી એક રોટલી ખાધી હતી. જોકે, ફરી પૈસા માંગી મારતા ત્યાં હાજર રાજેશે પુષ્પાદેવીને છોડાવી ગૌરખને માર માર્યો હતો. ત્યારબાદ રાજેશ પુષ્પાદેવીને પોતાના રૂમ ઉપર લઈ ગયો હતો અને સુવડાવી હતી. બીજા દિવસે વહેલી સવારે 5.30 વાગ્યે પુષ્પાદેવી પોતાના રૂમ ઉપર ગઈ ત્યારે ગૌરખ સામેના ખાલી રૂમમાંથી ફટકો લાવ્યો હતો અને મારવા માંડતા પુષ્પાદેવીએ ફટકો આંચકી લઈ વળતો પ્રહાર કર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી દોડી આવેલા રાજેશે પુષ્પાદેવીના હાથમાંથી ફટકો લઈ ગૌરખને આડેધડ મારતા તે મૃત્યુ પામ્યો હતો. પાંડેસરા પોલીસે પુષ્પાદેવીની કબૂલાતના આધારે બંને વિરુદ્ધ હત્યાનો અને પોલીસને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *