સુરતમાં માતાની એક ભૂલે 12 વર્ષની બાળકીનો લીધો જીવ- આ લેખ વાંચી તમે જ કહો કોની ભૂલ છે?

સુરત(ગુજરાત): સુરતના ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમની એક રેસીડેન્સીમાં રહેતી એક 12 વર્ષની સગીર માસુમ બાળકીએ ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના ફતેહપુર જિલ્લાની વતની મહાવિર્યા હાલ ઓલપાડ તાલુકાના કારેલી ગામની સીમમાં સુગર રોડ પર આવેલ સિધ્ધી રેસીડન્સીમાં રહે છે. આ વિધવા મશીન ચલાવીને 2 સગીર દિકરી અર્પિતા અને અંકિતાનું ગુજરાન ચલાવે છે.

ગત ગુરૂવાર, તા.12 ના રોજ સાંજે 5.30 કલાકની આસપાસ માતા મહાવિર્યા બજારમાં ખરીદી કરવા તથા દવા લેવા જતી હતી. ત્યારે બંન્ને દીકરીઓએ સાથે જવા માટે જીદ કરી હતી. પરંતુ માતા નાની દિકરી અર્પિતાને જ સાથે લઇ ગયા હતા, જેને કારણે અંકિતાએ માતા ઉપર રોષ ઠાલાવ્યો હતો કે, તું મને કેમ નહિં લઇ ગઇ? તે વાત અંકિતાને માઠી લાગી ગઈ હતી.

માતા બજારમાં ગઈ તે દરમિયાન અંકિતા ઘરની રૂમના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માતાને આ મામલાની જાણ બજારમાંથી પરત આવી ત્યારે થઈ હતી, જેથી તેણે ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *