રેલવે ડાઉન લાઇન ટ્રેકની વચ્ચે ટ્રેન નીચે આવી જતા એક યુવકનું મોત

અંકલેશ્વર(ગુજરાત): છેલ્લા બે મહિનામાં અંકલેશ્વર પંથકમાં ટ્રેન સામે આવી અને આપધાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોઈ અગમ્ય કારણોસર અંકલેશ્વરથી ભરૂચ જવાના રેલવે ડાઉન…

અંકલેશ્વર(ગુજરાત): છેલ્લા બે મહિનામાં અંકલેશ્વર પંથકમાં ટ્રેન સામે આવી અને આપધાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોઈ અગમ્ય કારણોસર અંકલેશ્વરથી ભરૂચ જવાના રેલવે ડાઉન લાઇન ટ્રેકની વચ્ચે ટ્રેનની નીચે આવી જતા એક યુવકનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, શરદભાઈ મનહરભાઈ વસાવા છેલ્લા ઘણા સમયથી GRD માં નોકરી કરતા હતા. તેઓ થોડા દિવસથી રજા ઉપર હતા. તે દરમિયાન ગઈકાલે બપોરે પોતાના ઘરે કોઈને જણાવ્યા વગર નીકળી ગયા હતા.

ત્યારબાદ અંકલેશ્વરથી ભરૂચ જવાના રેલ્વે ડાઉન લાઇન ટ્રેક પર ટ્રેનની નીચે આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે અંકલેશ્વર શહેર પોલીસને આ ઘટનાની જાણ થતા શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ લાશને કબજે કરીને સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે ખસેડીને વધુ તપાસ શરુ કરી હતી. જોકે આ ટ્રેન નીચે પડી જતાં મોત છે કે સુસાઇટ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *