ગુજરાતમાં વધુ એક હત્યા! પાણીપુરી વેચી ગુજરાન ચલાવતા શખ્સને તીક્ષ્ણ હથિયારના ઘા મારી માથાભારે શખસોએ મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં વડોદરા(Vadodara) શહેરના ખોડિયારનગર(Khodiyarnagar) સફેદ વુડાના આવાસમાં માથાભારે શખસોએ પાણીપૂરી વેચી ગુજરાન ચલાવતા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતાં હોબાળો મચી ગયો હતો. મોતને ઘાટ ઉતારાયેલા યુવાને માથાભારે શખસો સામે પાણીપૂરીની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખી માથાભારે શખસો દ્વારા દારૂના નશામાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ યુવાનની હત્યા બાપોદ પોલીસ સ્ટેશન(Bapod Police Station) વિસ્તારમાં થઇ હોવાનું અને લાશ હરણી પોલીસ મથક(harni Police Station)ની હદમાંથી મળતાં મોડી સવાર સુધી આ બંને પોલીસ મથકમાં ગુનો દાખલ થયો નહોતો. જોકે, હરણી પોલીસ દ્વારા આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે મળતી માહિતી મુજબ, ખોડિયારનગર મારુતિનગરમાં સુધીર ઉર્ફે ટુમટુમ કમલેશ રાજપૂત પાણીપૂરી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારે બપોરના સમયે સુધીર ઉર્ફે ટુમટુમ રાબેતા મુજબ લારીમાં પાણીપૂરી લઇને વેચવા નીકળ્યો હતો. આ દરમિયાન, સફેદ વુડાના મકાન નજીક કેટલાક માથાભારે શખસો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો અને પાણીપૂરી ખાધી હતી. મળતી માહિતી મુજબ, પાણીપૂરી ખાધા બાદ પૈસા માટે માથાભારે શખસોએ દાદાગીરી કરી હતી અને સુધીરને માર મારી તેની લારીમાંથી પાણીપૂરી લૂંટી ફરાર થઇ ગયા હતા.

આ દરમિયાન, આ બનાવ અંગે સુધીર ઉર્ફે ટુમટુમ રાજપૂત દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા માથાભારે શખસોની અટકાયત કરીને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, સામાન્ય ઝઘડો હોવાથી માથાભારે શખસો જામીન પર મુક્ત થઇ ગયા હતા. જેની અદાવતમાં મોડીરાત્રે સફેદ વુડાના મકાન સ્થિત એક ઓરડીમાં માથાભારે શખસો દ્વારા સુધીર રાજપૂતને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને તેની લાશ હરણી પોલીસ મથકની હદમાં મૂકી ભાગી ગયા હતા.

ત્યારે આજે સવારે સુધીર રાજપૂતનો થીજી ગયેલા લોહી સાથેનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં અરેરાટી છવાઈ હતી અને જોતજોતાંમાં લોકોનાં ટોળાં એકઠા થઇ ગયાં હતાં. આ દરમિયાન, આ બનાવની જાણ હરણી પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સ્લમ વિસ્તારોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે ત્યારે જે સ્થળે સુધીર ઉર્ફે ટુમટુમ રાજપૂતની હત્યા કરેલી લાશ મળી છે ત્યાંથી દેશી દારૂની ખાલી પોટલીઓનો ઢગલો મળી આવ્યો હતો. હુમલાખોરો દ્વારા દેશી દારૂનો નશો કર્યા બાદ પાણીપૂરીની લારી ચલાવતા સુધીર ઉર્ફે ટુમટુમ રાજપૂતની હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *