એવી તો શું આફત આવી પડી કે, પ્રેમ લગ્નના દોઢ વર્ષમાં જ સુરતના યુવકે કર્યો આપઘાત, સુસાઈડ નોટમાં થયો ખુલાસો

સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આપઘાતની વધુ એક ચકચારી…

સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજે લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આપઘાતની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી (Dindoli)માં એક 25 વર્ષીય યુવક આકાશ પટેલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, આકાશના દોઢ વર્ષ પહેલા પ્રેમલગ્ન થયા હતા અને પત્ની રિસામણે જતી રહી હતી. જેના માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. આ ઘટનામાં આકાશે લખેલી સુસાઈડ નોટ પણ સામે આવી છે.

પત્નીએ છુટાછેડા માગતા તણાવમાં હતો:
મળતી માહિતી અનુસાર, 25 વર્ષીય આકાશ વિનોદ પટેલ ડિંડોલી હેત્વી રેસીડેન્સીમાં રહેતો હતો. તેણે દોઢ વર્ષ પહેલા જ અંકિતા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા પત્ની પિયરમાં રીસામણે જતી રહી હતી. ત્યારબાદ પત્નીએ છુટાછેડાની માગણી કરતા આકાશ માનસિક તણાવમાં આવી ગયો હતો.

શર્ટ વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું:
પત્નીએ છૂટાછેડા માંગતા આકાશ તણાવમાં આવી ગયો હતો. જેને પગલે આકાશે પોતાના ઘરમાં જ પંખા સાથે પત્નીના પ્રિય શર્ટ વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. હાલ આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કોઈ વાતે બોલાચાલી થતા પત્ની પિયરે જતી રહી:
ત્યારે આ અંગે મૃતક આકાશના પિતાએ જણાવ્યું કે, આકાશના અંકિતા સાથે લગ્ન થયા હતા. આ બન્ને ખૂબ જ સારી રીતે રહેતા હતા. પરંતુ આ બન્ને વચ્ચે એક દિવસ કોઈ વાતે બોલાચાલી થતા અંકિતા પિયરે જતી રહી હતી. આકાશ અંકિતાને મનાવવા તેના ઘરે પણ ગયો હતો, પરંતુ ત્યાં પણ આકાશ સાથે અંકિતાના પરિવારે બોલાચાલી કરી હતી. જેના કારણે આકાશ પાછો આવી ગયો હતો. ત્યારબાદ તે ઘણા દિવસથી હતાશ રહેતો હતો. જેના કારણે આજે સુસાઇડ નોટ લખી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

આકાશે લખેલી સુસાઇડ નોટ:
આ ઘટનામાં આકાશે લખેલી સુસાઈડ નોટ પણ સામે આવી છે. જેમાં લખ્યું હતું કે, અંકિતા આઈ મિસ યું હું તને પ્રેમ કરું છું. હું તને સીધે સીધું નથી કહી શકતો. આજે મારી હાલત ખૂબ જ ખરાબ છે. અંકિતા તને જોવા માટે હું તડપુ છું. મને એમ લાગે છે કે હું બધું હારી ગયો છું. મારી ભૂલના કારણે જ મેં તને ગુમાવી છે અને હું હવે જીવવા પણ નથી માંગતો. અંકિતા ખુશ રહેજે તારા મા બાપને ખુશ રાખજે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *