મોટા સમાચાર: ચેન્નાઈ સુપર કિંગ્સના 12 ખેલાડીઓ કોરોના પોઝિટિવ

યુએઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝન શરૂ થવામાં હવે ફક્ત 22 દિવસ બાકી છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના 12 સભ્યો તે પહેલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ સમાવેશ છે.

શુક્રવારે સૂત્રોએ આઈએએનએસને માહિતી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને ફરીથી ક્વોરેન્ટાઇન પર જવા કહેવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કુલ 12 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને આખી ટીમને ફરીથી ક્વોરેન્ટાઇનમાં જવા કહ્યું છે. માનવામાં આવે છે કે ચેન્નાઈમાં એક કેમ્પ દરમિયાન તેમને ચેપ લાગ્યો હતો. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સના અધિકારીઓ અને બીસીસીઆઇએ આ ઘટનાની પુષ્ટિ કરવાનો ઇનકાર કરી દીધો છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 21 ઓગસ્ટના રોજ દુબઇ પહોંચી હતી અને છ દિવસની ક્વોરેન્ટાઇન અવધિ પૂર્ણ કર્યા પછી, ટીમે તેમની તાલીમ શરૂ કરી હતી. આઈપીએલની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી યોજાવાની છે, પરંતુ બીસીસીઆઈએ હજી સુધી મેચનું શેડ્યૂલ બહાર પાડ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *