135 લોકોની મોતનો જવાબદાર જયસુખ પટેલ હવે ભાગેડું આરોપી- કોર્ટમાં દાખલ થઇ 1200 પાનાની ચાર્જશીટ

Morbi, Gujarat: 1200 પાનાંની ચાર્જશીટ (charge sheet) મોરબી ઝૂલતા પુલ (Julto Pul) દુર્ઘટના મામલે ત્યાર કરી રજુ કરવામાં આવી છે. આ ચાર્જશીટ પોલીસ દ્વારા મોરબીની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલનું નામ ચાર્જસીટમાં મુખ્ય આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું છે. આ મામલે જયસુખ પટેલે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી છે.

પહેલી ફેબ્રુઆરીના રોજ આ અરજીની સુનવણી થવાની છે. 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. હાલ જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદ્દત પડી છે. હાલ તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે.

હવે જોવાનું એક રહ્યું છે કે, 1 ફેબ્રુઆરીના રોજ તેમની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવશે કે તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે. એડવોકેટ દિલીપભાઈ અગેચણીયા મૃતકોના પરિવાર વતી લડી રહ્યા છે. એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ જામીન અરજીની સુનવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી હતી. કોર્ટે અરજી મંજુર કરી અને આગામી સુનવણીમાં તેમને તક આપવામાં આવશે.

ઝૂલતા પુલનું રીનોવેશન કર્યા બાદ પાંચ દિવસમાં જ પુલ તૂટી પડ્યો હતો. પુલના મેન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે કાર્યવાહી કરવાની માગ મૃતકોના પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જોકે દુર્ઘટના મામલે જે ફરિયાદ કરવામાં આવી હતી તેમાં તેનું નામ આરોપી તરીકે મુકવામાં આવ્યું નહતું.

મોરબીવાસીઓ ક્યારેય ભૂલી ના સકે તેવી ગોઝારી દુર્ઘટના 30 ઓક્ટોબર 2022 ના રોજ સર્જાઈ હતી. દિવાળીની રજાઓ માણી રહેલા સ્થાનિકો તેમજ મોરબી ફરવા આવેલા લોકો મોરબીની ઐતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલની મજા માણી રહ્યાં હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતા 135 નિર્દોષ નાગરિકોના જીવ લેવાયા હતા. જે દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે.

ત્યારે મોરબીમાં આ ગોઝારી દુર્ઘટના સર્જી ત્યારે 135 નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા. આ ઘટના ના કારણે સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને પગલે એક તરફ હજુ રેસ્ક્યું ઓપરેશન ચાલી રહ્યું હતું અને ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા હતા.

મોરબીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ ઘટનામાં ઓરેવા ગ્રુપના મેનેજર સહીત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે. આ ઘટનાને ત્રણ મહિના થયા છે ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *