એવું તો શું દુઃખ આવી પડ્યું કે, માત્ર 19 વર્ષની દીકરીએ ગળેફાંસો ખાઈ ટૂંકાવી લીધું જીવન

19 year old daughter dies in Navsari: રાજ્યમાં આપઘાતના બનાવવામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો નવસારીના વોર્ડ નંબર 13 ની વસંતવિહાર સોસાયટીમાં માત્ર 19 વર્ષની દીકરી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી અનુસાર, વોર્ડ નંબર 13 માં આવેલ વસંત વિહાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ચૌધરી પરિવાર વસવાટ કરી રહ્યો હતો. મૃતક ભૂમિકા ચૌધરીને ત્રણ મોટી બહેનો પણ છે. આજે વહેલી સવારે ભૂમિકા બાથરૂમમાં ગઈ હતી પરંતુ અડધો કલાકથી વધુ નો સમય થઈ ગયો હોવા છતાં તે બહાર આવી ન હતી. જેના કારણે પરિવારમાં ચિંતાનો વિષય જોવા મળ્યો હતો.

પરિવારના સભ્યોએ બાથરૂમનું બારણો તોડીને જોતા અંદર ભૂમિકા મૃત હાલતમાં મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે નવસારી ટાઉન પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક ભૂમિકાના કબજો લઈ પોસ્ટ માટે નવસારી જીવન હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

માત્ર 19 વર્ષની ઉંમરે અગમ્ય કારણોસર દીકરીએ આપઘાત(19 year old daughter dies in Navsari) કરી લેતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.4 બહેનોમાં સૌથી નાની ભૂમિકા ચૌધરીના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *