અમદાવાદમાં ફરી એકવાર ભયંકર અક્સ્માત: છકડા અને કાર વચ્ચે ભયંકર ટક્કર થતા એકસાથે ૧૨ લોકોના…

અમદાવાદ(ગુજરાત): હાલ ભારતમાં અકસ્માતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વાર  સાણંદના નળ સરોવર રોડ પર આવેલા રેથલ નજીક ગોવિંદા ગામના પાટિયા પાસે છકડો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં છકડાના ટૂકડા થઈ ગયા હતા.

2 લોકોના આ અકસ્માતમાં મોત થયા છે આ ઉપરાંત 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાર અને છકડો ટકારતા છકડાના ટુકડે ટુકડા થઈ ગયા હતા. અકસ્માત પછી કાર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જયારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા તે દરમિયાન એકનું મોત થયું હતું.

અકસમાતનો ભોગ બનેલા તમામ લોકોને સાણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સાણંદ GIDC પોલીસને આ અંગે જાણ થતા તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, છકડામાં 15 જેટલા શ્રમિકો હતા. એક છકડામાં આટલી મોટી સંખ્યામાં લોકોને બેસાડ્યા હોવાથી પોલીસની કામગીરી વિરુધ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *