એકબાજુ બિપોરજોય તો બીજીબાજુ ભૂકંપે વધારી ચિંતા, અહિયાં 5.4 ની તીવ્રતા સાથે અનુભવાયા ભૂકંપના આંચકા

5.4 magnitude earthquake in North India: જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના ડોડામાં મંગળવારે બપોરે 1.33 કલાકે 5.4ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake)આવ્યો હતો. દિલ્હી (Delhi)-NCR ઉપરાંત પંજાબ (Punjab), ચંદીગઢ (Chandigarh), હરિયાણા (Haryana)અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શ્રીનગરમાં લોકો દુકાનો અને ઘરોમાંથી બહાર આવી ગયા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આંચકા એટલા જોરદાર હતા કે દરેક લોકો ડરી ગયા.

મંગળવારે જ તિબેટના શિઝાંગમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપ બોપરે 3:23 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 106 કિલોમીટર નીચે હતું.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડિરેક્ટર ડૉ. ઓપી મિશ્રાએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના ડોડામાં જમીનથી 6-10 કિલોમીટર નીચે હતું. તેનું અક્ષાંશ 33.15 અને રેખાંશ 75.82 હતું. કેન્દ્ર જમ્મુ-કાશ્મીર હોવાને કારણે પંજાબ, હિમાચલ અને ચંદીગઢમાં પણ તેના આંચકા અનુભવાયા હતા.

પાકિસ્તાનમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ
મંગળવારે બપોરે 1.04 કલાકે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.6 હતી અને કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

3 મહિના પહેલા 21 માર્ચે દિલ્હી-NCRમાં રાત્રે 10.15 વાગ્યે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા યુપી, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, બિહારમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 133 કિમી દક્ષિણ-પૂર્વમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 156 કિમી દૂર છે. ઊંડાણમાં હતી.

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં 3 મોટા ભૂકંપ આવ્યા હતા. બંને દેશોમાં મળીને 57 હજાર લોકો માર્યા ગયા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, બંને દેશોમાં 26 મિલિયન લોકોને હજુ પણ મદદની જરૂર છે. 75 વર્ષમાં પ્રથમ વખત WHOએ આટલા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી હતી.

2004માં ભૂકંપ બાદ આંદામાનનું ઈન્દિરા પોઈન્ટ ડૂબી ગયું હતું
26 ડિસેમ્બર 2004ના રોજ, ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપ અને ત્યારબાદ સુનામીના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓનો ઈન્દિરા પોઈન્ટ ડૂબી ગયો હતો. આ ટાપુ સુમાત્રાથી 138 કિમીના અંતરે આવેલું છે. અહીં માત્ર એક લાઈટ હાઉસ છે જેનું ઉદ્ઘાટન 30 એપ્રિલ 1972ના રોજ થયું હતું. તે ભારતના અત્યંત દક્ષિણમાં આવેલું છે અને તેને ભારતનું છેલ્લું બિંદુ પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *