બોલીવુડના વિલેન તરીકે જાણીતા 60 વર્ષના એક્ટરે કરી અડધી ઉંમરની છોકરી સાથે કર્યા લગ્ન, પહેલી પત્ની બોલી…

Ashish Vidyarthi’s second marriage: ટીવી અને ફિલ્મના જાણીતા એક્ટર આશિષ વિદ્યાર્થિ (Ashish Vidyarthi)એ તાજેતરમાં જ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે, જેના વિશે જાણીને…

Ashish Vidyarthi’s second marriage: ટીવી અને ફિલ્મના જાણીતા એક્ટર આશિષ વિદ્યાર્થિ (Ashish Vidyarthi)એ તાજેતરમાં જ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે, જેના વિશે જાણીને દરેકને આશ્ચર્ય થયો છે. આ લગ્નની કેટલીક તસવીરો પણ સામે આવી હતી અને આ સમાચાર ફેન્સમાં તુફાનની જેમ ફેલાઈ ગયા હતા. એક તરફ જીંદગી આશિષ વિદ્યાર્થીના જીવનમાં એક નવી શરૂઆતની યોજના બનાવી રહી છે, જ્યારે બીજી તરફ તેની પ્રથમ પત્ની રાજોશી બરુઆ ઉર્ફે પીલુ વિદ્યાર્થી તેના જીવનમાં ઉતાર-ચઢાવ સાથે સંઘર્ષ કરતી જોવા મળે છે. આશિષની પહેલી પત્ની રાજોશીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આ સમાચારોથી તૂટી ગઈ છે અને હવે તે પોતાને જોડવાનો  અને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે.

જણાવી દઈએ કે આશિષ વિદ્યાર્થિએ રૂપાલી બરુહા સાથે લગ્ન કર્યા, જે કોલકાતાના ફેશન બિઝનેસ સાથે સંકળાયેલી છે. ગુરુવારે કોલકાતા ક્લબમાં થયેલા આ ખાનગી લગ્નની ઘણી તસવીરો સાંજથી ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગઈ હતી, જેને જોઈને લોકો પણ ચોંકી ગયા હતા. અગાઉ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આશિષ વિદ્યાર્થિએ ભૂતકાળની અભિનેત્રી શકુંતલા બરુઆની પુત્રી રાજોશી બરુઆ સાથે લગ્ન કર્યા હતા. એવું લાગે છે કે પીલુ વિદ્યાર્થી એટલે કે રાજોશી બરુઆ આ સમયે ઘણી ઉથલપાથલમાંથી પસાર થઈ રહી છે.

આશિષ વિદ્યાર્થીની પહેલી પત્નીએ પોસ્ટ કરી
રાજોશીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરી છે, જેને જોઈને લોકો એવું અનુભવી રહ્યા છે કે તે હાલમાં એવા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે જેને લઈને તે ખૂબ જ ચિંતિત છે.

કહ્યું- યોગ્ય વ્યક્તિ તમને આ પ્રશ્નો નહીં પૂછે
રાજોશીએ 17 કલાકની અંદર બે ક્રીટીકલ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં તેણે એક વ્યક્તિ તરફ ઈશારો કરીને લખ્યું છે કે જેને તે પહેલા તેના માટે યોગ્ય માનતી હતી. રાજોશીએ લખ્યું કે, ‘યોગ્ય વ્યક્તિ તમને તે પ્રશ્ન પૂછશે નહીં કે તમે તેમના માટે શું કહેવા માગો છો. તે આ ત્યારે જ કરશે જ્યારે તેને ખબર હશે કે તે તમને તકલીફ પહોંચાડશે. આ યાદ રાખો.’

રાજોશીએ બીજી એક પોસ્ટ કરી છે જેમાં તે કોઈ પણ બાબત વિશે વધુ પડતું વિચારવાના કારણોને દૂર કરીને તેના જીવનમાં શાંતિ શોધવાની વાત કરે છે. તેણે કહ્યું, ‘કદાચ વધારે વિચારવું અને શંકા હમણાં માટે તમારા મગજમાંથી નીકળી ગઈ છે, સ્પષ્ટતાએ મૂંઝવણનું સ્થાન લીધું હશે. શાંતિ અને ધૈર્ય તમારા જીવનને ભરી દે, તમે લાંબા સમયથી મજબૂત છો અને હવે આશીર્વાદ લેવાનો સમય છે. કારણ કે તમે તેને લાયક છો.

 

View this post on Instagram

 

A post shared by Piloo Vidyarthi (@piloovidyarthi)

તે જ સમયે રાજોશીએ ઇન્સ્ટાગ્રામ વોલ પર એક પોસ્ટ પણ પોસ્ટ કરી છે, જેમાં તે હસતી જોવા મળી રહી છે. તેણે લખ્યું છે કે, ‘જીવનના કોયડામાં ફસાશો નહીં, આ જ જીવન છે.’

આશિષને તેની પહેલી પત્નીથી 23 વર્ષનો પુત્ર છે
જો કે રાજોશીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકો તેને અનેક પ્રકારના સવાલો પૂછી રહ્યા છે. લોકો પૂછે છે કે શું તેણે છૂટાછેડા લીધા છે? તે જ સમયે, આશિષ અને રાજોશીનો 23 વર્ષનો પુત્ર અર્થ વિદ્યાર્થી છે. આશિષની બીજી પત્ની ગુવાહાટીની રહેવાસી છે અને બિઝનેસવુમન છે. તે કોલકાતામાં અપસ્કેલ ફેશન સ્ટોર ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *