7 police officers killed in accident in Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં 11 ઓગસ્ટના રોજ એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં પોલીસકર્મીઓના વાહનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 7 પોલીસકર્મીઓના મોત થયા હતા. જ્યારે તેમની કાર તીસા બૈરાગઢ રોડ પર તરવાઈ પુલ પાસે પહોંચી ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારમાં 11 લોકો સવાર હતા. અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.
કેબિનેટ મંત્રી મુકેશ અગ્નિહોત્રીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘7 પોલીસ કર્મચારીઓના દુઃખદ મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે, જ્યારે ચંબા જિલ્લાના ટીસામાં પોલીસ ટીમના વાહન અકસ્માતમાં 5 ઘાયલ થયાના અહેવાલ છે. ભગવાન શ્રી ના ચરણોમાં દિવંગત આત્માઓને સ્થાન આપે. અમે આ ઘટનામાં ઘાયલ અન્ય પોલીસકર્મીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.’
जिला चंबा के तीसा में हुए पुलिस दल के वाहन दुर्घटना में 6 पुलिस कर्मियों सहित 7 की दुःखद मृत्यु का समाचार प्राप्त हुआ। जबकि 4 के घायल होने की सूचना मिली है।
ईश्वर दिवंगत आत्माओं को श्री चरणों में स्थान दें। इस घटना में घायल हुए अन्य पुलिसकर्मियों के शीघ्र स्वास्थ्य लाभ की हम… pic.twitter.com/4ho2N7kcTY
— Mukesh Agnihotri (@Agnihotriinc) August 11, 2023
ભાજપે સરકાર પર લગાવ્યો આરોપ
બીજી તરફ, શિમલા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય હંસરાજે કહ્યું કે, ચમ્બામાં આજે સવારે ખૂબ જ દર્દનાક અકસ્માત થયો છે. બીજેપીના મતે સરકાર અને PWDના XENની સંપૂર્ણ બેદરકારી સામે આવી છે. અમે સરકારને સતત આજીજી કરીને આ રસ્તો બંધ કરાવ્યો હતો, પરંતુ સરકારે આ રસ્તો ફરીથી ખુલ્લો કર્યો હતો. આ અંગેની માહિતી અમે પહેલા પણ સરકારને આપી હતી, પરંતુ સરકાર મૌન રહી હતી. પહાડ સતત પડી રહ્યો હતો, જનતા જોઈ રહી હતી, પરંતુ સરકારે કોઈ પગલાં લીધાં નહોતા.
તેમણે કહ્યું કે ભાજપ માંગ કરે છે કે, પીડબલ્યુડીમાં કામ કરતા જોગીન્દર શર્મા વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે. તેમની બેદરકારીના કારણે આજે ચંબામાં આટલો મોટો અકસ્માત થયો છે. અમે સોશિયલ મીડિયા અને લેખિત માધ્યમ દ્વારા સરકારને આ અંગે સતત જાણ કરી હતી. પરંતુ, સરકારે આ અકસ્માતને રોકવા માટે કોઈ પગલાં લીધાં નથી. સમગ્ર રાજ્યમાં સરકારની બેદરકારી સતત દેખાઈ રહી છે. જો આ પ્રકારની બેદરકારીને રોકવામાં નહીં આવે તો હિમાચલના લોકો હંમેશા જોખમમાં રહેશે. આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના થવી જોઈએ. સરકારે જનતાની સામે પોતાનો પક્ષ રજૂ કરવો જોઈએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube