ટિકિટ ન મળતાં કાર્યકર્તાઓમાં આક્રોશ: અમદાવાદ શહેર પ્રમુખ સહિત 700 કાર્યકરોનાં રાજીનામાં

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગઈકાલે અમદાવાદના ભાજપ કાર્યાલય ખાતે ભાજપના સેંકડો…

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગઈકાલે અમદાવાદના ભાજપ કાર્યાલય ખાતે ભાજપના સેંકડો કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આજ સ્થિતિ કોંગ્રેસ કાર્યાલયમાં જોવા મળી હતી. જમાલપુરના સીટીંગ કાઉન્સિલરની ટિકિટ બાદ વિરોધમાં 500 જેટલા કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપ્યા હતા. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ સામે પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની નબળી નેતાગીરીનો પરિચય જોવા મળ્યો છે. NSUIને ટિકિટ ન ફાળવતાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. જે બાદ પૂર્વ પ્રમુખ ચેતન રાવલનો NSUI દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો અને યુવાનોને ટિકિટ ન આપતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં NSUIના કાર્યકારોના સોશિયલ મીડિયા પર રાજીનામાં આપ્યા છે. અંદાજે 700 જેટલા હોદ્દેદારોએ રાજીનામા આપ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ પક્ષે NSUIને નજર અંદાજ કરતાં કાર્યકરો નારાજગી સામે આવી છે. NSUI અમદાવાદ શહેર પ્રમુખ આસિફ પવારે રાજીનામું આપ્યું છે. તો NSUIના પ્રદેશ મહામંત્રી દિગ્વિજય દેસાઈ, નીતિન વાઘેલાએ રાજીનામું પક્ષને ધરી દીધું છે. NSUIના કાર્યકરો દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. NSUI ગુજરાત યુનિ.ના પ્રમુખ નારાયણ ભરવાડે ટિકિટ ન મળતાં રાજીનામું આપ્યું હતું. તેઓએ ઈન્દ્રપુરી વોર્ડમાંથી ટિકિટ માગી હતી. આ ઉપરાંત NSUIના સેનેટ મેમ્બર સહિત કાર્યકરોના રાજીનામા પડ્યા છે.

ગઈકાલે ભાજપમાં 500 રાજીનામાં પડ્યા

ગઈકાલે ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો
અત્રે ઉલેખનીય છે કે, વસાણા, નારણપુરા, ગોટ, ચાંદખેડા, સરદારનગર સહિત અમદાવાદ શહેરના અનેક વોર્ડના પ્રભારી અને તેમના કાર્યકરો ટિકિટ કાપવામાં રોષે ભરાય છે. શુક્રવારે સાંજે ચાંદખેડાના વોર્ડ પ્રભારી પ્રતિમા સક્સેના ડઝનેક કાર્યકરો સાથે ભાજપ કાર્યાલય પર પહોંચી હતી અને ત્યારબાદ અન્ય વોર્ડના રોષે ભરાયેલા કેદીઓની કચેરીએ પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. વોર્ડના પ્રભારી અને 500 જેટલા કાર્યકરોએ અરજી લખીને પાર્ટી છોડી દેવાની ધમકી આપી હતી. સાંજે શરૂ થયેલી વિરોધની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી.

ગુજરાતના આ શહેરોમાં ચૂંટણી યોજાવાની છે
ગુજરાતની અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતની ગણતરી 23 ફેબ્રુઆરીએ થશે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તહસિલ પંચાયતો અને 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 2 માર્ચે મતગણતરી યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *