પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડના પડઘા પડ્યા સુરત, સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ઝંડો સળગાવાયો

સુરત(ગુજરાત): સુરતમાં સામાજિક કાર્યકર્તાઓએ પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં કરવામાં આવેલ તોડફોડની ઘટનામાં વખોડી કાઢી હતી. એટલું જ નહીં, પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સાથે સાથે તેમને જણાવ્યું હતું કે, હાલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પત્ર લખી આવું કૃત્ય કરનારા વિરુધ પગલાં ભરે, જો પગલા નહીં ભરે તો આગામી દિવસોમાં દિલ્હી જઈ પાકિસ્તાન એમ્બેસીનો વિરોધ કરીશું.

સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કોઈ પહેલી વાર નથી, અવાર નવાર પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિંદુઓના શોષણ, મંદિર અને મૂર્તિઓ તોડવાની ઘટનાઓ જોવા મળે છે. તા. 30 જુલાઈના રોજ પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાના વીડિયો વાઇરલ થયા હતા. જેને લઈ ભારત સહિત વિદેશમાં રહેતા તમામ ભક્તોની લાગણીને ઠેસ પહોચી છે.

આજે સોશિયો સર્કલ નજીક કાર્યકર્તાઓ સાથે પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પત્ર લખી આવું કૃત્ય કરનારા વિરુધ પગલાં ભરવા પણ જણવ્યું હતું. સાથે જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં દિલ્હી જઈને પાકિસ્તાન એમ્બેસીનો વિરોધ કરીશું અને ભારતમાંથી હટાવવા માગ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *