સમાજનું ગૌરવ: સુરતમાં પટેલ રત્નકલાકારનાં અંગોના દાનથી એકસાથે 4 લોકોને મળી નવી જીદગી

સમગ્ર રાજ્યમાં અંગદાનમાં હંમેશા આગળ રહેતા એવા સુરત શહેરમાંથી બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ રત્નકલાકારના અંગોનું દાન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજના રત્નકલાકાર બ્રેઈનડેડ મનસુખભાઈ ઝીણાભાઈ કાથરોટીયાના પરિવાર દ્વારા તેમના ફેફસાં, કિડની, લિવર તેમજ ચક્ષુઓનું દાન કરીને 4 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે.

સુરતથી ચેન્નાઈ વચ્ચેનું 1610 કિમીનું અંતર માત્ર 160 મિનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષની મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવાયેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષનાં વ્યક્તિમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું હતું.

બ્રેઈન હેમરેજ થયું હતું:
મનસુખભાઈને 2 ઓગસ્ટના રોજ બ્રેઈનસ્ટ્રોકનો હુમલો આવી જતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક કામરેજની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર માટે સિટી સ્કેન તથા MRI કરાવતા લકવાનો હુમલો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

આગળની સારવાર માટે 4 ઓગસ્ટે વિનસ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.રાકેશ ભારોડીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવારની શરૂઆત કરવામાં આવી હતી. આ સારવાર દરમિયાન ખેંચ આવતા નિદાન માટે સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું.

બ્રેઈનડેડ જાહેર થતાં લીધો અંગદાનનો નિર્ણય:
6 ઓગસ્ટે ડોક્ટરોએ મનસુખભાઈને બ્રેનડેડ જાહેર કરી દેતા ડોનેટ લાઈફની ટીમ દ્વારા મનસુખભાઈના પત્ની રીટાબેન તથા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનો દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફેફસાં ચેન્નાઈ મોકલાયાં:
SOTTO દ્વારા કિડની તથા લિવર અમદાવાદની IKDRC ને ફાળવી દેવામાં આવી હતી. જયારે NOTTO દ્વારા ફેફસાં ચેન્નઈની MGM હોસ્પીટલને ફાળવી દેવામાં આવ્યા હતાં.દાનમાં મળેલ ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ ઇન્દોરની રહેવાસી 51 વર્ષની મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં ડૉ.બાલા ક્રિષ્નન તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

બે ગ્રીન કોરીડોર તૈયાર કરાયાં:
દાનમાં મેળવાયેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી 54 વર્ષની વ્યક્તિમાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ. વૈભવ સુતરીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે દાનમાં મળેલ કિડનીમાં લોહીના ગઠ્ઠા એકત્ર થઇ ગયા હોવાને લીધે બંને કિડની ખરાબ થઇ ગઈ હતી.

જેને લીધે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું ન હતું. ફેફસાં, કિડની તથા લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે 2 ગ્રીન કોરીડોર બનાવાયા હતા કે, જેમાં સુરત શહેર પોલીસ તથા રાજ્યના અનેકવિધ શહેર તેમજ ગ્રામ્ય પોલીસનો સહકાર લેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *