સુરતમાં માતાનો પ્રેમ ન મળતા 13 વર્ષના બાળકે આપઘાત કર્યો- સુસાઈડ નોટ વાંચી આંખો ભીની થઇ જશે

સુરત(ગુજરાત): આજકાલ અવાર-નવાર રાજ્યમાંથી આપઘાત(Suicide)ના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે સુરત(Surat)ના કામરેજ(Kamrej)ના ખોલવડ(kholvad)માં સગીરે સુસાઇડ નોટ(Suicide note) લખી આત્મહત્યા કરી લેતાં પરિવાર શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, 13 વર્ષીય સગીરના આપઘાત પાછળ માતાનો પ્રેમ ન મળતો હોવાનું અને તેને મળવાની ઈચ્છા હોવાનું સામે આવ્યું છે. સગીરે લખેલી સુસાઇડ નોટને આધારે પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી.

આ અંગે પોલીસે જણાવ્યું કે, આત્મહત્યા કરનાર સગીરની સુસાઈડ નોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ હતો. સગીરની માતા દોઢ વર્ષ પહેલા બાવા સાથે ચાલી ગઈ હતી. સુસાઈડ નોટમાં માતાને મળવાનો પણ ઉલ્લેખ છે. જો તારે તારી માતાને મળવી હોય તો તારા પપ્પાને કહો કે મને કાંઈ ના કરે તેવો સંદેશ મળ્યો છે. હાલમાં આ બાવો કોણ છે અને તે ક્યાંનો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

સુસાઈડ નોટમાં સગીરે લખ્યું હતું કે, પપ્પા, મારે મરવું નહોતું, પણ મારે શું કરવું જોઈએ? બાવાએ આજે ​​મને કહ્યું કે તારે ગયા પછી તારી માને મળવી હોય તો તારા પપ્પાને કહેજે મને કઈ ન કરે. પછી મેં વિચાર્યું કે શું કરવું, પછી મેં આત્મહત્યા કરવાનું વિચાર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *