સુરતમાં 35 વર્ષના નરાધમે, ચાર વર્ષની બાળકી સાથે ચોકલેટની લાલચે શારીરિક અડપલા કર્યાં

દુષ્કર્મના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળે છે. આટલા બધા વધતા દુષ્કર્મના કેસો એ દરેક માટે ખુબ જ ચિંતાનો વિષય બની ગયો છે. સરકાર(Government) તેમજ નાગરિકોએ(Citizens) પણ આ બાબત વિશે ચિંતન કરી તેનો નિર્ણય લાવવાના પ્રયાસો કરવા જોઈએ. કેટલાક હેવાન લોકો પોતાની દરેક હદ પાર કરી દેતા હોય છે. હાલની સ્થિતિ જોતા તો આજકાલ નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી. હાલમાં આવી જ એક ઘટના સુરતમાંથી(Surat) સામે આવી છે.

મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી માત્ર ચાર જ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. અહી 35 વર્ષનો નરાધમ યુવક આ ચાર વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયો હતો અને શારીરિક અડપલા કર્યાં હતા. ત્યારબાદ તે નરાધમે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો.

જયારે બાળકી પોતાના ઘરે પહોચી ત્યારે તેણે પોતાના પરિવારને આ અંગે જાણ  કરી હતી. બાળકીએ તેના પરિવારને તે યુવકની ખરાબ હરકતો વિશે જણાવ્યું હતું. બાળકીએ જણાવ્યું હતું કે, ‘તે અંકલ ખુબ જ ગંદા છે, તેમણે મારી સાથે આવી ખરાબ હરકતો કરી હતી.’ ત્યારબાદ તેના માતા-પિતાએ પાંડેસરાના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તે આરોપીને શોધી લીધો છે તેમજ પોલીસે આ આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *