સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ કરણ જોહરે લીધો મોટો નિર્ણય, આપવું પડ્યું બોલીવુડના બધા પદ પરથી રાજીનામું

સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ફરી એકવાર બોલીવુડમાં નેપોટિજ્મ, લોબીંગ અને ફેવરેટીજ્મનો મુદ્દો ગરમાયો છે. તે જ સમયે, હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો સતત સોશિયલ…

સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી ફરી એકવાર બોલીવુડમાં નેપોટિજ્મ, લોબીંગ અને ફેવરેટીજ્મનો મુદ્દો ગરમાયો છે. તે જ સમયે, હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે, જેમાં લોકો ફિલ્મ નિર્માતા કરણ જોહર પર વધુ ગુસ્સે થઈ રહ્યા છે.

બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછીથી ફિલ્મ જગતમાં નિપોટિઝમ(પરિવારવાદ)ને લઈ શરૂ થયેલા વિવાદ પછી કરણ જોહરે MAMI એટલે કે મુંબઈ એકડમી ઓફ ધ મૂવિંગ ઈમેજના ડાયરેક્ટર પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તો બીજી બાજુ ખબર છે કે આ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન અને અભિનેત્રી દીપિકા પાદુકોણે કરણ જોહરે મનાવવાની કોશિશ કરી, પણ કરણે તેની વાત સાંભળી નહીં અને રાજીનામુ આપી દીધું છે.

મીડિયો રિપોર્ટ પ્રમાણે, કરણે આ ફિલ્મ ફેલ્ટિવલના આર્ટિસ્ટ ડાયરેક્ટર સ્મૃતિ કિરણને મેલ કરી રાજીનામાની વાત કરી છે. MAMIના બોર્ડમાં વિક્રમાદિત્ય મોટવાણી, સિદ્ધાર્થ રોય કપૂર, દીપિકા પાદુકોણ, ઝોયા અખ્તર અને કબીર ખાન છે. એક મનોરંજન વેબ પોર્ટલ પર પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, કરણ જોહરે પોતાનો રાજીનામું ઘણા દિવસો પહેલા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ બોર્ડના ડાયરેક્ટર સ્મૃતિ કિરણને મોકલ્યું હતું.

આ સાથે જ રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયા પર થયેલી ધમાલથી કરણ જોહર ચિંતિત હતો. આ સાથે જ કરણ જોહરને તેના ફેંસ અને મિત્રોનો સપોટ નહીં મળવાના કારણે ચિંતિત છે. આવી સ્થિતિમાં તેમણે આ નિર્ણય માત્ર પોતાને લાઈમલાઈટથી દૂર રાખવા માટે લીધો છે.

તે જ સમયે, પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, કરણ આ મામલે નજીકના મિત્રોનો ટેકો ન મળવાથી દુ:ખી છે. જો કે, આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણ સતત કરણ જોહરને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. કરણે થોડા દિવસો પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના બધા મિત્રોને અનુસર્યા છે અને ટિપ્પણીની સૂચનાઓ પણ બંધ કરી દીધી છે.

જણાવી દઈએ કે, 14 જૂને સુશાંત સિંહ રાજપૂત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંત બોલિવૂડમાં ભેદભાવથી ભારે વ્યથિત હતો. આવી સ્થિતિમાં સુશાંતના ચાહકો કરણ જોહરને તેના મોત માટે જવાબદાર માને છે.

એક રિપોર્ટ અનુસાર, સુશાંત સિંહ રાજપૂતના મોત પછી આલિયા ભટ્ટ અને કરણ જોહરના ફોલોઅર્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કરણે લગભદ 1 લાખ 90 હજાર ફોલોઅર્સ ગુમાવી દીધા છે. તો સલમાન ખાનના 50 હજાર ફોલોઅર્સ ઈન્સ્ટાગ્રામ પર ઓછા થયા છે. તો બીજી તરફ શ્રદ્ધા કપૂર, ક્રીતિ સેનન અને કંગના રાણૌતના ફોલોઅર્સમાં વધારો જોવા મળ્યો છે.

સુશાંતે બોલિવુડને કાઈ પો છે, એમએસ ધોની, છિછોરે, કેદારનાથ, સોનચિડિયા જેવી સુપરહીટ ફિલ્મો આપી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી. એકતા કપૂરની સીરિયલ દ્વારા તેણે અભિનયમાં પદાપર્ણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *