જમ્મુમાં ટનલ અને ઉડતી ડ્રોનનું રહસ્ય બહાર આવ્યું છે, જાણી તમે પણ ચોંકી ઉઠશો

છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુમાં ટનલ મળી આવી છે, તેમજ સરહદી વિસ્તારોમાં ડ્રોન પણ જોવા મળી રહ્યા છે. ગુપ્તચર વિભાગ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સે આ ઘટનાઓના વિશ્લેષણમાં કહ્યું છે કે, કાશ્મીર તેમજ જમ્મુ ક્ષેત્રમાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓને સક્રિય રાખી શકાય તે માટે આ બધું કરવામાં આવી રહ્યું છે.

જમ્મુના સામ્બા સેક્ટરમાં છેલ્લા ત્રણ મહિનામાં બે લાંબી અને જટિલ ટનલ મળી આવી છે. તેમાંથી 29 ઓગસ્ટે પહેલી ટનલ અને રવિવારે બીજી 200 મીટર લાંબી અને ત્રણ ફૂટ પહોળી ટનલ મળી આવી હતી. રવિવારે મળેલી બીજી ટનલની જાણકારી નરગોટામાં માર્યા ગયેલા આતંકવાદીઓ દ્વારા સરહદ પાર કરવા માટે કરવામાં આવી હતી.

આ બધા પછી, બીએસએફ દ્વારા જમ્મુથી ગુજરાત તરફના ભારતને અડીને આવેલી 3300 કિલોમીટર લાંબી પાકિસ્તાનની સરહદની નજીકમાં ટનલની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેથી સમયસર કોઈપણ ઘુસણખોરીને નિષ્ફળ કરી શકાય. આ સાથે સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને પણ ચેતવણી આપવામાં આવી છે. જો તેમને કોઈ ટનલ મળે અથવા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો સાવચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગની ટનલ આવા મેદાનોથી બનાવવામાં આવી છે, જે પાકિસ્તાનની તરફ ઉંચા ઘાસને લીધે લશ્કરની નજરથી છુપાયેલી છે. સુરંગો બનાવવાનું કામ રાતના સમયે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેના કરાર મુજબ પાકિસ્તાને આ ઊંચા ઘાસની કાપણી કરવી જોઈએ, પરંતુ ઊલટું, તેઓ તેનો ઉપયોગ સરહદ પારની ડ્રગ્સ અને આતંકવાદીઓને મોકલવા માટે કરે છે.

તેમણે કહ્યું કે, બીએસએફની તકેદારી હોવાને કારણે પાકિસ્તાનને આ વાયરો હેઠળ અથવા ખુલ્લી જગ્યાઓથી ઘુસણખોરો મોકલવા અથવા દારૂગોળો સપ્લાય કરવામાં મુશ્કેલી પડી રહી છે, તેથી હવે તેઓ ડ્રોન અને ટનલ જેવી અન્ય રણનીતિ અપનાવી રહ્યા છે.

અન્ય એક અધિકારીએ કહ્યું કે, કાશ્મીરમાં સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળોની મોટી હાજરીને કારણે પાકિસ્તાન ત્યાં કંઇપણ કરવામાં અસમર્થ છે, તેથી હવે તેણે જમ્મુની સરહદ પર તેની પ્રવૃત્તિ વધારી દીધી છે. પાકિસ્તાન જમ્મુ સરહદ પર તેની સક્રિયતા જાળવવા માંગે છે જેથી તે આંતરરાષ્ટ્રીય સમુદાયની સામે એવો દાવો કરી શકે કે, સરહદની આ બાજુ પણ વિવાદિત છે કારણ કે તેઓ તેને ‘કાર્યકારી સીમા’ કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *