રખડતા ઢોરે લીધો વધુ એક વ્યક્તિનો ભોગ- બાઇક સાથે ગાય અથડાતાં વેપારીનું દર્દનાક મોત – ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat):રાજ્યમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. જો વાત કરવામાં આવે તો મહેસાણા-વિસનગર રોડ(Mehsana-Visnagar Road) પર દેલા(Dela) ગામ પાસે ગાય સાથે અથડાતાં ઘાયલ…

ગુજરાત(Gujarat):રાજ્યમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. જો વાત કરવામાં આવે તો મહેસાણા-વિસનગર રોડ(Mehsana-Visnagar Road) પર દેલા(Dela) ગામ પાસે ગાય સાથે અથડાતાં ઘાયલ મહેસાણાના બાઇક ચાલકનું સારવાર દરમિયાન દર્દનાક મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, મહેસાણા ટીબી રોડ પર આવેલી અર્બુદા સોસાયટીમાં રહેતા વેપારી ધર્મેન્દ્રકુમાર અરવિંદભાઈ શાહ (ઉ.વ.51) શનિવારના રોજ સાંજે બાઇક લઇ વિસનગરથી મહેસાણા પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન દેલા ગામ પાસે રોડ વચ્ચે ગાય આવતાં સર્જાયેલા અકસ્માતમાં બાઇક પરથી પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

સારવાર દરમિયાન જ નીપજ્યું મોત:
અત્રે ઉલ્લેખનીય છે કે, તેમને સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન સોમવારના રોજ સાંજે મોત થયું હતું. આ સમગ્ર ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ગોઝારા બનાવને કારણે વેપારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલમાં તો સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, અવારનવાર અનેક રખડતા ઢોરને કારણે અકસ્માત સર્જાય છે અને જેને કારણે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે. ત્યારે મહેસાણામાં ફરી એક વ્યક્તિને અડફેટે લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *