રસ્તા વચ્ચે જ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો- જાન દરમિયાન ઘોડાએ લાત મારતા બાળકનું કરુણ મોત

અમદાવાદ(Ahmedabad): જો વાત કરવામાં આવે તો હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે આ લગ્નમાં અનેકવાર અકસ્માત(Accident)ની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પરંતુ હાલમાં જે ઘટના સામે આવી છે તે ખૂબ જ ગંભીર કહી શકાય. આ ઘટનાથી લગ્નમાં જતા લોકોએ ચોક્કસપણે કાળજી રાખવી જરૂરી છે. આ ઘટના અમદાવાદથી સામે આવી છે.

મળતી માહિતી અનુસાર લગ્નમાં વરરાજા માટે લાવવામાં આવેલા ઘોડાની લાત વાગતા બાળકનું દર્દનાક મોત થયું છે. આ ઘટના થી લગ્નમાં જતા લોકો પણ ચોક્કસથી કાળજી રાખશે.

સમગ્ર ઘટના અંગે જો વાત કરવામાં આવે તો બન્યું કંઈક એવું કે જેમાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં લગ્નના વરઘોડામાં રૂપિયા લેવા જતી વખતે ઘોડાએ લાત મારી હતી. વરઘોડામાં ઘોડાને નચાવવામાં આવી રહ્યો હતો, ત્યારે કેટલાક પરિવારજનો પૈસા ઉડાડી રહ્યા હતા અને બાળક પૈસા લેવા માટે ઘોડાની નજીક ગયો હતો. જેના કારણે બાળકને ઘોડાએ જોરદાર લાત મારી હતી.

આ દરમિયાન બાળકો પૈસા લેવા માટે ઘોડાની આગળ પાછળ દોડી રહ્યા હતા. ત્યારે આ દરમિયાન એક બાળકનું પૈસા લેવા જતા ઘોડાની લાતથી બાળકનું મોત થયું હતું. જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં જ બાળકનું મોત થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નનનો આ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. આ ગંભીર ઘટના ને કારણે લગ્નની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *