ઘરમાં સફાઈ કરતા-કરતા મહિલાને આંબી ગયો કાળ, આ રીતે મળ્યું દર્દનાક મોત- લોહીના આંસુએ રડી પડ્યો પરિવાર

સુરત(Surat): શહેરમાં ચેતવણીરૂપ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. મળતી માહિતી અનુસાર, પાર્લેપોઈન્ટ(Parle Point) ખાતે પોતાના ઘરમાં સાફ સફાઈ કરતા સમયે એક મહિલા નવમા માળેથી…

સુરત(Surat): શહેરમાં ચેતવણીરૂપ ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. મળતી માહિતી અનુસાર, પાર્લેપોઈન્ટ(Parle Point) ખાતે પોતાના ઘરમાં સાફ સફાઈ કરતા સમયે એક મહિલા નવમા માળેથી નીચે પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સાફ સફાઈ દરમિયાન નવમાં માળેથી નીચે પટકાતા મોત:

મળતી માહિતી અનુસાર, પાર્લેપોઈન્ટ ખાતે આવેલ સીટી ક્રાઉન એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય આદિતીબેન પલ્લવભાઈ ચોખાવાલા પોતાના ઘરના નવમાં માળેથી નીચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે અને શરીરે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત હાલતમાં તેમના પતિ 108 એમ્બ્યુલેન્સ દ્વારા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. જેને કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મહત્વનું છે કે, આદિતીબેન ઘરની સફાઈ કરી રહ્યા હતા. ગ્રીલની સફાઈ કરતા સમયે તેઓ નવમાં માળેથી બારીમાંથી નીચે પટકાયા હતા. ત્યારે પુત્રી દ્વારા આ અંગે પિતાને કોલ કરીને જાણ કરવામાં આવતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પત્નીને તાત્કાલિકપણે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે તેનો જીવ બચી શક્યો ન હતો.

આદિતીબેનના પતિ પલ્લવભાઈ યાર્નના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી છે. ઘટનાને લઈને ઉમરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *