એવી તો શું આફત આવી પડી કે, લગ્નના એક દિવસ પહેલા જ દીકરીએ ગળેફાંસો ખાઈ જીવ આપી દીધો- કારણ માત્ર એટલું હતું કે… 

આજના યુવાધનમાં સહનશક્તિનો ખુબ જ અભાવ જોવા મળે છે. લોકો નજીવી બાબતે પોતાનું જીવન ટૂંકાવી દેતા થઈ ગયા છે. ત્યારે હાલ આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ કંટાળીને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. મહત્વની વાત તો એ છે કે, આ યુવતીના આવતીકાલે જ લગ્ન પણ હતા. ત્યારે તેણે પોતાના લગ્નના એક દિવસ પહેલા જ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, આરતી નામની યુવતી નિવારી જિલ્લાના નાયગુવાન ગામમાં પરિવાર સાથે રહેતી હતી. છેલ્લા ઘણા સમયથી આરતી માનસિક ત્રાસમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. આરતીના ભાઈનું નામ નારાયણદાસ છે, જયારે તેની બહેનનું નામ લક્ષ્મી છે. આમ તો, આરતી પરિવારના લોકો સાથે ખૂબ જ હળી મળીને રહેતી હતી.

આ દરમિયાન આરતીના લગ્ન મોરાય જિલ્લામાં આવેલા ઝાંસીના રહેવાસી પરિવારના નરેન્દ્ર નામના યુવક સાથે નક્કી કર્યા હતા. નરેન્દ્ર અને આરતીની ઘણા સમય પહેલા સગાઈ થઈ ગઈ હતી. ત્યારે આવતી કાલે જ આરતીના લગ્ન હોવાને કારણે પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. તેમજ ઘરમાં પણ લોકો ધૂમધામથી લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. આખા ઘરને પણ શણગારવામાં આવ્યું અને આરતીના હાથમાં પણ મહેંદી લાગી ગઈ હતી. આરતીના લગ્નના  કાર્ડ પણ છપાઈ ગયા હતા.

ત્યારે એક દિવસ પરિવારના દરેક લોકો આરતીના લગ્નના કાર્ડ સગા સંબંધીઓને આપવા માટે ગયા હતા. તે સમયે આરતી અને તેમની નાની બહેન લક્ષ્મી જ ઘરે હતા. બંને બહેનો ઘરે રહીને તેમના લગ્નની તૈયારીઓ કરી રહી હતી. આ દરમિયાન આરતી તેના રૂમમાં ગઈ અને લક્ષ્મી તેમના ઘરનું કામ કરી રહી હતી. ત્યારે અચાનક જ લક્ષ્મીને આરતીના રૂમમાંથી ટેબલ પડવાનો અવાજ આવ્યો હતો.

જેને પગલે લક્ષ્મી આરતીના રૂમ તરફ ગઈ હતી અને તેણે આરતીનો રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ આરતીએ દરવાજો ખોલ્યો નહીં. ત્યારે આરતીના રૂમની બારીઓ ખુલી હોવાને કારણે તેમાંથી લક્ષ્મીએ જોયું તો તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. આરતીએ પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. ત્યારે લક્ષ્મીએ બુમાબુમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનોને થતા જ તેઓ ઘરે પહોંચ્યા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

આ પછી પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોંચી પાડોશીના મદદથી આરતીના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. લગ્ન હોવાને કારણે આરતીના હાથોમાં મહેંદી હતી અને તેને પોતાનો જીવ ગુમાવી લીધાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમજ તેના પરિવારજનોની હાલત પણ ખુબ જ કફોડી બનવા પામી છે. સાથે જ તેમના સાસરિયાઓને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારે ઘટનાને પગલે લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *