એક ફેને કાજોલને પૂછ્યું: “અજય ન હોત તો શાહરૂખ સાથે લગ્ન કરેત?” તો કાજોલે આપ્યો આ જવાબ

હિન્દી સિનેમાનાં ઈતિહાસમાં માધુરી-અનિલ કપૂર, નરગીઝ-રાજકુમાર, જુહી ચાવલા-આમિર ખાન જેવી અનેક સુપરહિટ જોડી પડદા પર જોવા મળી છે. તેમાં સૌથી વધુ પસંદ કરાયેલ જોડી શાહરૂખ…

હિન્દી સિનેમાનાં ઈતિહાસમાં માધુરી-અનિલ કપૂર, નરગીઝ-રાજકુમાર, જુહી ચાવલા-આમિર ખાન જેવી અનેક સુપરહિટ જોડી પડદા પર જોવા મળી છે. તેમાં સૌથી વધુ પસંદ કરાયેલ જોડી શાહરૂખ અને કાજોલ ની છે. શાહરૂખ અને કાજોલની જોડીએ અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. જે કારણે ફેન્સની પણ આ જોડી માનીતી બની ગઈ. રિલ લાઈફ સિવાય રિયલ લાઈફમાં પણ શાહરૂખ અને કાજોલની ખુબ સારી દોસ્તી છે. થોડાં સમય પહેલાં જ કાજોલે ફેન્સની સાથે સવાલ-જવાબનું સેશન રાખ્યું હતું. જેમાં ફેન્સે તેની અંગત ઝિંદગીને લઈ કેટલાક સવાલો પૂછ્યા હતા.

આ જ તમામ સવાલોની વચ્ચે એક ફેને કાજોલને એવો સવાલ પૂછ્યો હતો જેની આશા કોઈને પણ ન હોય. ફેને પૂછ્યું હતું કે, જો તમારી લાઈફમાં અજય દેવગન ન હોત તો શું તમે શાહરૂખ ખાન સાથે લગ્ન કરી લેત ? આ સવાલે કાજોલને ચોક્કસ દુવિધામાં મૂકી દીધી હશે, પરંતુ કાજોલે જે જવાબ આપ્યો તે વાંચી સૌ કોઈ ચોંકી ગયા હતા.

કાજોલે એ ફેનને જવાબ આપતા લખ્યું કે, શું તેણે (શાહરૂખે) પ્રપોજ ન કરવું જોઈએ ? અન્ય એક ફેને શાહરૂખ અને કાજોલની બોન્ડિગને લઈ સવાલ ઉઠાવ્યો ત્યારે અભિનેત્રીએ કહ્યું કે, ફ્રેન્ડ્સ ફોર લાઈફ.

કાજોલ અને શાહરૂખે પોતાની કરિયરમાં એક સાથે દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, બાઝીગર, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન અને દિલવાલે જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. છેલ્લે કાજોલે અજય દેવગનની હોમ પ્રોડક્શન ફિલ્મ તાનાજી ધ અનસંગ વોરિયરમાં તાનાજીના પત્નીના પાત્રમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *