સુરતમાં કોલેજના મહિલા પ્રોફેસરે પારિવારિક ઝઘડામાં ફાંસોખાઈ ટૂંકાવ્યુ જીવન

સુરતના બારડોલીમાં આવેલી માલિબા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા અને અડાજણ વિસ્તારમાં રહેતા એક મહિલાએ આપઘાત કરી લીધો છે. પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઈને…

સુરતના બારડોલીમાં આવેલી માલિબા કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપતા અને અડાજણ વિસ્તારમાં રહેતા એક મહિલાએ આપઘાત કરી લીધો છે. પોતાના ઘરમાં જ દુપટ્ટાથી ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયું હતું. મૃતકનું નામ ફોરમબેન હતું.

તેના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતાં. સાથે જ તેઓ છેલ્લા ઘણા વર્ષોથી માનસિક તણાવ અનુભવી રહ્યાં હતા તેવું તેમના સંબંધીઓએ જણાવ્યું હતું. માનસિક તણાવમાં અને પારિવારિક ઝઘડાથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર કેસમાં અડાજણ પોલીસે આગળની તપાસ કરી રહી છે.

અડાજણ પોલીસે જણાવ્યું હતું કે, ફોરમબેન અંકિતભાઈ પાવેજા સુરતના અડાજણ વિસ્તારના રાજહંસ કોમ્પ્લેક્ષમાં રહેતા હતાં. એમના લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા અને તેમને એક અઢી વર્ષનો પુત્ર પણ છે. ફોરમ બેન બારડોલી નજીકની માલિબા કોલેજમાં MSC વિભાગમાં પ્રોફેસર હતા.

પોસ્ટ મોર્ટમ રૂમ બહાર સગાઓએ જણાવ્યું હતું કે, ફોરમબેન ઘણા વર્ષોથી માનસિક તણાવના શિકાર હતા. તેનો પતિ અંકિત કાપડનો ધંધો કરે છે. ઘરમાં પરિવારની ગેર હાજરીમાં ફોરમબેને દુપટ્ટા વડે ફાંસો ખાઈ મોતને આમંત્રણ આપ્યું હતું. ફોરમબેન મૂળ હરિયાણાના સોનેપતના રહેવાસી હતાં. અડાજણ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *