ભયંકર માર્ગ અક્સ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા હચમચી ઉઠ્યું આખું ગામ

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉ (Lucknow)માં એક ખુબ જ ભયાનક માર્ગ અકસ્માત (Road accident)ના સમાચાર મળી આવ્યા છે. શનિવારે મોડી રાત્રે અહીંના મલિહાબાદ…

લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉ (Lucknow)માં એક ખુબ જ ભયાનક માર્ગ અકસ્માત (Road accident)ના સમાચાર મળી આવ્યા છે. શનિવારે મોડી રાત્રે અહીંના મલિહાબાદ વિસ્તાર (Malihabad area)માં ટ્રક(Truck) અને કાર(The car) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.

બંને વાહનો વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટના મલિહાબાદના ચેવતા વિસ્તારની છે. અહી ચેવતા અને કટૌલી મુખ્ય માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતના સમાચાર મળ્યા બાદ મૃતકના ઘરમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાની લખનઉમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *