હાલમાં સામે આવી રહેલ જાણકારી પ્રમાણે, ભોપાલમાં આવેલ AIIMS હોસ્પિટલમાં ડોકટરો દ્વારા ઓપરેશન કરીને એક યુવકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. યુવકની છાતીમાં અંદાજે 10 ઈંચનું ખંજર આરપાર થઈ ગયું હતું. જેને ગંભીર હાલતમાં AIIMS લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં તેનું સતત 30 મિનિટ સુધી ઓપરેશન કર્યા પછી ચાકૂ બહાર કાઢી લેવામાં આવ્યું હતું. હાલમાં યુવકની સ્થિતિ ખતરાથી બહાર છે. યુવકનું નામ યોગેશ હોવાનું જાણવા મળ્યું છે. તે ભોપાલ પાસે આવેલ પિપલિયા પેંદે ખાંમાં રહે છે. મંગળવારની મોડી રાત્રે ઘરની બહાર ઊભો હતો ત્યારે તેને એક યુવકને કોઈ વાતને લઈને બોલ્યો હતો. તો તે યુવકે તેની છાતીમાં છરો મારી દીધો હતો કે, જે છાતીની ડાબી બાજુ આરપાર થઈ ગયો હતો.
ગંભીર સ્થિતિમાં AIIMS લઈ ગયા પરિવારજનો:
ખંજર લાગ્યા પછી યોગેશને તેના પરિવારજનો AIIMS માં લઈ ગયા હતા. ડોકટરો દ્વારા તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંદાજે 30 મિનિટ સુધી ચાલેલા ઓપરેશનમાં છાતીમાં ખુંપેલું ખંજર કાઢવામાં આવ્યું હતું. ડોકટરના જણાવ્યા પ્રમાણે ઘાયલ યોગેશના નસીબ ખુબ સારા હતા કે આટલો ધારદાર છરો તેના શરીરની આરપાર થઈ ગયો હોવા છતાં હાર્ટને કંઈ જ નુકસાન થયું ન હતું.
યોગેશને થોડાં દિવસ માટે ડોકટરની દેખરેખ હેઠળ તપાસ માટે રાખવામાં આવશે. પોલીસના જણાવ્યા પ્રમાણે યોગેશની સ્થિતિ હાલમાં ખતરાથી બહાર છે ત્યારે આ ખંજર મારનાર યુવકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.