સ્વતંત્રતા દિવસે દેશનાં કુલ 1,380 જવાનોને કરાશે સન્માનિત, સૌથી વધારે મેડલ દેશના આ રાજ્યની પોલીસને મળશે

દેશ આઝાદીનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ પ્રસંગે દેશની રક્ષા કરવા અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થયેલા યોદ્ધાઓને સ્વતંત્રતા દિવસના પ્રસંગે સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે 1,380 શુરવીરને વીરતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, શૌર્ય પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને આ પોલીસ કર્મચારીઓને આપવામાં આવતા અન્ય વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ 2 પોલીસ કર્મચારીઓને આપવામાં આવશે અને શૌર્ય માટે પોલીસ મેડલ 628 જવાનોને આપવામાં આવશે. આ ઉપરાંત, 662 પોલીસ કર્મચારીઓને ગૌરવપૂર્ણ સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. 88 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.

સરહદ પર તૈનાત 23 ITBP કર્મચારીઓને બહાદુરી માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. જેઓ ચીનની સરહદ પર તૈનાત રહીને દેશનું રક્ષણ કરે છે. તેમાંથી 20 જવાનોને મે-જૂન 2020 માં પૂર્વી લદ્દાખમાં થયેલી અથડામણમાં બતાવેલી બહાદુરી માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.

તે જ સમયે મહત્તમ મેડલ જમ્મુ અને કાશ્મીર પોલીસ (J&K પોલીસ) ને ગયા છે. જેમાં જમ્મુ -કાશ્મીરના 256 પોલીસકર્મીઓ અને CRPF ના 151 બહાદુર સૈનિકોનો સમાવેશ થાય છે. આ સિવાય ઓડિશામાંથી 67, મહારાષ્ટ્રમાંથી 25 અને છત્તીસગધ પોલીસમાંથી 20 નો સમાવેશ થાય છે. આ સાથે, અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેટલાક પોલીસકર્મીઓ ઉપરાંત, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના કર્મચારીઓને પણ એનાયત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *