અમદાવાદમાં અડધી રાત્રે પાનના ગલ્લે ખેલાયો ખૂની ખેલ- સાવ નજીવી વાતે ચપ્પાના ઘા મારી યુવકને પતાવી દીધો

Murder in Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી એક વાર હત્યા (Murder)નો બનાવ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો આ…

Murder in Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી એક વાર હત્યા (Murder)નો બનાવ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. જો વાત કરવામાં આવે તો આ બનાવમાં પાનના ગલ્લે ગયેલા યુવક પર સામાન્ય બાબતે બોલાચાલી થવાને કારણે એક યુવકે ચપ્પુથી હુમલો (Knife attack) કરી હત્યાને અંજામ આપી ખૂની ખેલ ખેલાયો હતો. આ સમગ્ર ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ થતાં કૃષ્ણનગર પોલીસ મથકે (krishnanagar police station) ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના અને અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવક સાથે હત્યાની ઘટના બનવા પામી છે. રણવીરસિંહ ઝાલા રવિવારના રોજ રાતના સમયે ઘરેથી ગલ્લે જવા માટે નીકળ્યો હતો અને રાતના સવા બાર વાગ્યાની આજુબાજુ વિજય પાર્ક ચાર રસ્તા નજીક આવેલા લક્કી સેવન ગલ્લા પર અજીત, રૂત્વિજ ગઢવી તેમજ પ્રકાશ નામનાં મિત્રો સાથે બેઠો હતો અને આ દરમિયાન રાતના સમયે રણવીરસિંહ ઝાલા ચાલતો-ચાલતો જઈ રહ્યો હતો અને તેનો મિત્ર અજીત ગલ્લાની અંદરથી બહાર આવ્યો હતો. આ દરમિયાન અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ નામનો યુવક રણવીરસિંહને સામે કેમ જોવે છે? તેવું કહીને બોલાચાલી અને ગાળાગાળી શરુ કરી દીધી હતી.

મહત્વનું છે કે, રણવીરસિંહે ગાળો આપવાની ના પાડતા અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને રણવીરસિંહના પેટના ભાગે મારી દીધું હતું. આ જોતા પ્રકાશ ઉર્ફે રાજા નામનો મિત્ર વચ્ચે પડતા અભિષેકે તેને પણ હાથના કાંડાના ભાગે ચપ્પુ ઘુસાડી દીધું હતું. જે પછી અજીત તેના મિત્ર રણજીતસિંહ પાસે ગયો હતો. રણવીરસિંહ લોહીલુહાણ હાલતમાં હોવાને કારણે તેને પોતાની ગાડી પર બેસાડી કૃષ્ણનગર દસ માળીયા ખાતે દવાખાને લઈ ગયો હતો, જ્યાં દવાખાનું બંધ હોવાથી 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યાં સારવાર દરમિયાન તબીબે રણવીરસિંહ ઝાલાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ આ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસ દ્વારા અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *