અ’વાદમાં મિત્રએ જ નોકરીથી ઘરે જતાં મિત્રને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી પતાવી દીધો, ચોધાર આસુંડે રડી પડ્યો પરિવાર…

અમદાવાદ(Ahmedabad): હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો એમ ધોળા દિવસે હત્યા થતી હોય છે. ત્યારે…

અમદાવાદ(Ahmedabad): હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. લોકોમાં જાણે કાનુનનો ડર જ ન રહ્યો એમ ધોળા દિવસે હત્યા થતી હોય છે. ત્યારે હાલ બાપુનગર પોલીસ સ્ટેશન (Bapunagar Police Station)ની હદમાં આવી જ વધુ એક ચકચારી ઘટના સામે આવી છે.

જેમાં અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આરોપી હત્યા કરીને ફરાર થઇ ગયો છે.

રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા:
જાણવા મળ્યું છે કે, વિજય પ્રતાપજી ઠાકોર બાપુનગરના ભીડભંજન ખાતે રહેતા હતા. તેઓની 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્ર સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન તેઓ નોકરીથી ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસપુર ચંદુલાલની ચાલી પાસે તેમના મિત્ર દ્વારા જ તેમની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેમજ સ્થાનિક લોકો દ્વારા જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *