આપની મહેનત લાવશે રંગ? મળી રહ્યું છે જન સમર્થન- આ તસ્વીરો ભાજપના નેતાઓની ઊંઘ હરામ કરી દેશે

ગુજરાત(Gujarat): આગામી સમયમાં 2022ની વિધાનસભા ચુંટણી આવી રહી છે અને આ ચુંટણીમાં ખરેખર ત્રિ-પાંખિયો જંગ જંગ જોવા મળશે. પછી તે ભલે ભાજપ(BJP) હોય, આપ(AAP) હોય કે…

ગુજરાત(Gujarat): આગામી સમયમાં 2022ની વિધાનસભા ચુંટણી આવી રહી છે અને આ ચુંટણીમાં ખરેખર ત્રિ-પાંખિયો જંગ જંગ જોવા મળશે. પછી તે ભલે ભાજપ(BJP) હોય, આપ(AAP) હોય કે કોંગ્રેસ(Congress). તમામ પાર્ટીઓએ ચુંટણીને અનુલક્ષીને તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે.

ભારતીય જનતા પાર્ટી બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવાઓ કરી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ ગુજરાતની વિધાનસભાની ચુંટણી પર છે.

પરિવર્તન યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ રહ્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે. આમ આદમી પાર્ટીની આ પરિવર્તન યાત્રાને બહોળું જન સમર્થન મળી રહ્યું છે. સાથે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓની સભામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના જનસમર્થનને જોઇને વિપક્ષી પાર્ટીના પાટિયા ડોલવા લાગ્યા:
ગતરાત્રે ‘આપ’ નેતા રાજુભાઈ કરપડા તથા કૈલાશ ગઢવીની આગેવાનીમાં પરિવર્તન યાત્રાના માધ્યમથી માંડવીના આઝાદ ચોકમાં ગ્રામજનો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને જોડાયા હતા.

ગતરોજ ‘આપ’ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને યુથવિંગ પ્રમુખ પ્રવીણ રામની ઉપસ્થિતિમાં જુથળ ખાતે જનસભા યોજવામાં આવી હતી અને તેમાં લોકોનું બહોળું સમર્થન મળ્યું હતું.

પરિવર્તન યાત્રા અંતર્ગત જુથળ ખાતે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈકાલે પરિવર્તન યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓમાં સમાનતા, સાદગી અને નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું.

પરિવર્તન યાત્રા અંતર્ગત ગુજરાતની 182 વિધાનસભાને આવરી લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘર ઘર સુધી અરવિંદ કેજરીવાલનો સંદેશો પહોંચાડી રહ્યા છે અને દિલ્હી મોડલ પ્રસ્તુત કરી રહ્યા છે.

ગુજરાતના અલગ-અલગ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોથી શરૂ થયેલી યાત્રામાં આમ આદમી પાર્ટીને મળેલો પ્રતિસાદ જોઈને વિપક્ષી નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા પછી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે એકદમ એલર્ટ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ AAP સામે જાણે કે સીધી લડાઈમાં ના ઊતરી ગયા હોય! જોકે સામે પક્ષે AAP પાછી પાની કરવાનું નામ નથી લઇ રહી, કારણ કે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ AAPએ રાજકીય કૂટનીતિ એકદમ મજબૂત કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *