AAPની પરિવર્તન યાત્રાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કોંગ્રેસ કાયમની જેમ હજી ચિંતન કરતી રહી ગઈ

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી(BJP) બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. આ કડીમાં…

ગુજરાત(Gujarat): રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી(BJP) બાદ હવે આમ આદમી પાર્ટી(AAP)એ પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. આ કડીમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા(Parivartan Yatra)નું શુભારંભ કરાયો છે. દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Election) પર છે.

પરિવર્તન યાત્રા અંતર્ગત ગુજરાતની 182 વિધાનસભાને આવરી લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘર સુધી અરવિંદ કેજરીવાલનો સંદેશો પહોંચાડશે અને દિલ્હી મોડલ પ્રસ્તુત કરશે ત્યારે ગઇકાલે ગુજરાતના અલગ-અલગ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોથી શરૂ થયેલી યાત્રામાં આમ આદમી પાર્ટીને મળેલો પ્રતિસાદ જોઈને વિપક્ષી નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે.

સોમનાથથી પરિવર્તન યાત્રાની શરૂઆત:
સોમનાથ મંદિરે દર્શન કરીને ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ ગઈકાલે સવારે યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

સોમનાથથી પરિવર્તન યાત્રાની શરૂઆત

દ્વારકાથી પરિવર્તન યાત્રાની શરૂઆત:
દ્વારકાથી ‘આપ’ નેતા ઇસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી અજિત લોખીલે ગઈકાલે કૃષ્ણ ભગવાનના દર્શન કરી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

દ્વારકાથી પરિવર્તન યાત્રાની શરૂઆત

સિદ્ધપુરથી પરિવર્તન યાત્રાની શરૂઆત:
સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમા ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી અને મહામંત્રી સાગર રબારીએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી.

સિદ્ધપુરથી પરિવર્તન યાત્રાની શરૂઆત

ઉમરગામથી પરિવર્તન યાત્રાની શરૂઆત:
ઉમરગામથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશ વસાવાએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી.

ઉમરગામથી પરિવર્તન યાત્રાની શરૂઆત

અબડાસાથી પરિવર્તન યાત્રાની શરૂઆત:
અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને ‘આપ’ નેતા કૈલાશદાન ગઢવી દ્વારાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

અબડાસાથી પરિવર્તન યાત્રાની શરૂઆત

દાંડીથી પરિવર્તન યાત્રાની શરૂઆત:
દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને આપ નેતા રાકેશ હિરપરા દ્વારા ગઈકાલે સાંજે 4 વાગ્યે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

દાંડીથી પરિવર્તન યાત્રાની શરૂઆત

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા પછી તો ભાજપના નેતાઓ જાણે એકદમ એલર્ટ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ભાજપના નેતાઓ AAP સામે જાણે કે સીધી લડાઈમાં ના ઊતરી ગયા હોય! જોકે સામે પક્ષે AAP પાછી પાની કરવાનું નામ નથી લઇ રહી, કારણ કે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા પછી AAPએ રાજકીય કૂટનીતિ એકદમ મજબૂત કરી દીધી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા, ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આમ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ પરિવર્તન યાત્રા દરમિયાન 20 દિવસમાં ગુજરાતના દરેક વિધાનસભા વિસ્તારમાં જઈને બેરોજગાર યુવાનો, મૂળભૂત સુવિધાઓથી વંચિત મહિલાઓ તેમજ ખેડૂતોને મળીને તેમની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે બનતા તમામ પ્રયાસો કરશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રીતે આમ આદમી પાર્ટીને મળી રહેલા પ્રતિસાદ પરથી શું ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ ચુક્યો છે? તે અંગેનો હવે આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ એક વાત તો ચોક્કસ કહી શકાય કે, ઠેર ઠેર આમ આદમી પાર્ટીને લોકોનો પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે. જેને જોઇને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઇ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *