ગમખ્વાર અકસ્માતમાં એક સાથે 4 લોકોના કરુણ મોત- પડીકું વળી ગયેલ કારના પતરા ચીરીને બહાર કઢાયા મૃતદેહ 

ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અનેક અકસ્માત(Accident)ના બનાવો સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના રાણપુર(Ranpur) નજીક એક કારને કાળમુખો અકસ્માત નડ્યો છે. અકસ્માતને કારણે કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

મળતી વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા-રાણકપુર નજીક ટ્રેલર અને કાર વચ્ચે કાળમુખો અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એક સાથે 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા.

ગોઝારા અકસ્માતના બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસ દ્વારા બચાવકામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ ચાર લોકોના આ અકસ્માતમાં દર્દનાક મોત થયા છે.

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામનાર ચાર લોકો ઉણ ગામના હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. જોકે, પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી થયા હતા. જોકે, અકસ્માત બાદ કારની હાલત જોવાય નહિ તે પ્રકારની થઈ ગઈ હતી. કારનું પડીકુ વળી ગયુ હતું. કારની હાલત જોતા એમ કહી શકાય કે કારમાં સવાર કોઈ પણ વ્યક્તિ બચી ન હોઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *