ચીખલી નજીક સર્જાયો દર્દનાક અકસ્માત, કન્ટેનરમાં ઈનોવા ઘુસી જતા 4 લોકોના કરુણ મોત- ‘ઓમ શાંતિ’

નવસારી(Navsari): ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત(Chikhli accident) સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આલીપોર બ્રિજ(Alipore Bridge) ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો…

નવસારી(Navsari): ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત(Chikhli accident) સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આલીપોર બ્રિજ(Alipore Bridge) ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે. ગોઝારા અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત(4 people died) થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં નવસારી ડીવાયએસપી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં તો આ સમગ્ર અકસ્માત અંગેની ઘટનાને લઈને ચીખલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ગમખ્વાર અકસ્માતમાં એક સાથે ચાર લોકોના કરુણ મોત થતા ચકચાર મચી જવા પામી છે, જયારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને RTO વિભાગના નિયમો જાણે નેવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડના કારણે તો ક્યાંય વાહનની ટેકનીકલ ખામીના કારણે દર્દનાક અકસ્માત સર્જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *