હવે વધારે શક્તિશાળી બનશે ગ્રાહક, મોદી સરકાર બનાવી રહી છે નવો કાયદો

જો તમે શોપિંગમાં છેતરાયા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. મોદી સરકારે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે એક કાયદો લાવી રહી છે. જેમાં…

જો તમે શોપિંગમાં છેતરાયા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. મોદી સરકારે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે એક કાયદો લાવી રહી છે. જેમાં ગ્રાહકને તે અધિકાર હશે કે જો તે ઉત્પાદનથી સંતુષ્ટ નથી તો સીધો જ કોર્ટમાં જઇ શકે છે. લોકસભામાં એક બીલ પસાર થયું જે ગ્રાહકોની ફરિયાદો ઉકેલવા માટે બન્યું છે. જે હેઠળ એક રેગ્યૂલેટરી કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણ(CCPA) બનશે જે દેશભરમાં ઉપભોક્તાને નવી તાકત આપશે. તેની ફરીયાદો સાંભળશે.

ફૂડ મિનિસ્ટર રામવિલાસ પાસવાને લોકસભામાં બીલ પસાર કર્યા દરમિયાન જણાવ્યું કે, ઉપભોક્તા સંરક્ષણ બીલ 1986ની જગ્યા લેનારું વિધેયક કંઝ્યૂમર પ્રોટેક્શન બીલ 2018માં CCPAને રાષ્ટ્રીય સ્તરના રેગ્યૂલેટર તરીકે સ્થાપિત કરવા માટે કુલ 109 સેક્શન છે. આ રેગ્યૂલેટર અલગ-અલગ પ્રોડક્ટ, પ્રોડક્ટ ક્વોલિટી, ભ્રામક જાહેરાત, સેલિબ્રિટિ જાહેરાત સહિત અન્ય પરેશાનીઓ ઉકેલશે. રેગ્યૂલેટર ઈ-કોમર્સ, ડાયરેક્ટ સેલિંગ અને ટેલી માર્કેટિંગથી થતી ખરીદીઓમાં પણ નજર રાખશે.

CCPA બીલ ગ્રાહકોના અધિકારોના ઉલ્લંઘન, ખોટી વર્તણૂંક સાથે ખોટી અથવા ભ્રામક જાહેરાતો સંબંધિત મામલાઓ ઉકેલશે, જેનાથી લોકોને છેતરી ન શકે. પાસવાને જણાવ્યું કે, બીલમાં 1 મહાનિર્દેશકના નેતૃત્વમાં 1 તપાસ બ્રાંચ બનશે, જેની પાસે તલાશી લેવાનો અને જપ્ત કરવાનો અધિકાર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *