પત્નીએ પિયર જવાનું કહ્યું તો પતિએ રસોડામાંથી દસ્તો લઈને માથામાં ઝીંકી દીધો

અમદાવાદ(Ahmedabad): શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પત્નીએ પતિને પોતાનાં પિયર મુંબઇ જવાનું કહ્યું તો પહેલી વખત પતિએ ના પાડી અને ત્યાર પછી પત્નીએ ફરીથી તેની તે જ વાત કરી તો પતિએ પત્નીને મારમાર્યો અને ગાળો બોલીને સતત માર મારતો હતો. ફક્ત એટલું જ નહીં પતિએ દસ્તો પણ માથામાં ઝીંકી દીધો હતો. સમગ્ર મામલે પત્ની દ્વારા પતિ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પત્નીને જમીન પર પટકીને માર મારતો રહ્યો:
મળતી માહિતી અનુસાર, 45 વર્ષની પરિણીત મહિલા દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેને અગાઉ તેના પતિ વિરુદ્ધમાં સોલા અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. અમને જણાવી દઈએ કે, અત્યારે પતિ પત્ની સાથે જ રહે છે.

પત્નીએ પતિને કહ્યું હતું કે, મારે મારા ઘરે મુંબઇ જવું છે જે માટે પતિએ ચોખ્ખી ના પાડી દીધી. પરંતુ પત્નીએ ફરીથી કહેતા પતિ ગુસ્સે થઇ ગયો હતો અને ગાળો આપીને જેમ ફાવે તેમ માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ નીચે પાડીને લાતો પણ મારતો હતો. આ દરમિયાન જ અચાનક જ પતિ ગુસ્સે થઇ ગયો અને રસોડામાંથી દસ્તો લઈને માથામાં ઝીંકી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, પત્નીને માથામાં લોહી નીકળતા ગાડીમાં બેસીને હોસ્પિટલ પહોંચી ગઈ હતી. જ્યાં પત્નીને માથામાં ગંભીર ઈજા થઇ હતી અને ત્રણ ટાંકા પણ આવ્યા હતા. પત્ની જ્યારે હોસ્પિટલ જતી હતી ત્યારે પણ પતિએ કહ્યું હતું કે, જો હવે અહીંયા આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. હોસ્પીટલે સારવાર મેળવીને મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને પતિ વિરુદ્ધમાં મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *