અમદાવાદમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ: પત્નીને હેરાન કરવાની શંકામાં પતિએ આધેડ પડોશીની કરી હત્યા 

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે અમાદાવાદ(Ahmedabad) શહેરમાં વધુ એક હત્યાનો બનાવ(murder case) સામે આવ્યો છે. જેમાં પડોશમાં(Neighborhood) રહેતા આધેડ પત્નીને…

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે અમાદાવાદ(Ahmedabad) શહેરમાં વધુ એક હત્યાનો બનાવ(murder case) સામે આવ્યો છે. જેમાં પડોશમાં(Neighborhood) રહેતા આધેડ પત્નીને હેરાનગતિ(harassment of wife) કરતો હોવાની અદાવત રાખીને હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે. જોકે, સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ(police) દ્વારા ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ કૃષાં ફ્લેટમાં રહેતા અને ધોબીની કામ કરતા સંજય ભાઈને આજે સાંજના સમયે તેમની જ પડોશમાં રહેતા યુવકએ પેટનાં ભાગે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંજયભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. કૃષા ફ્લેટનાં દરવાજા પાસે જ હથિયારનાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે.

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બાદમાં આ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે, મૃતક સંજયભાઈ આરોપીની પત્નીને હેરાન કરતો હોવાની અદાવત રાખીને આ બનાવને અંજામ આપ્યો છે. જોકે, હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે મૃતક કે આરોપી સામે અગાઉ કોઈ ફરિયાદ થયેલ છે કે કેમ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *