“એસટી બની મોતની સવારી” -શાકભાજી લેવા જતાં એક યુવકને અડફેટે લઇ કચડી નાખ્યો, ઘટના સ્થળે જ મોત

થોડાં સમયથી રાજ્યમાંથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. થોડાં દિવસ પહેલાં જ ARTSની બસ દ્વારા અકસ્માત સર્જાયો હતો. હાલમાં પણ આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી રહી છે. સમગ્ર રાજ્યમાં લોકડાઉન પછી ST બસની સેવા ફરીથી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ પહેલાંની જેમ ST બસની શરૂઆત થતાંની સાથે જ બસ દ્વારા અકસ્માતની ઘટનાઓ પણ હવે વધવા લાગી છે.

અમદાવાદમાં ST બસ દ્વારા CTM હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલ એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.અમદાવાદમાં આવેલ નારોલ-નરોડા હાઇવે પર CTMની નજીક ગ્રીનમાર્કેટની સામે અમદાવાદથી વડોદરા બાજુ જઈ રહેલ ST બસે રાહદારીને અડફેટે લઈ લીધો હતો તથા જોરદાર ટક્કરને લીધે ઘટનાસ્થળ પર જ યુવકનું મોત થયું હતું.

લોકોનાં જણાવ્યા પ્રમાણે મૃતક વહેલી સવારમાં શાકભાજી લેવા માટે આવ્યો હતો તેમજ રોડ ક્રોસ કરતાં ST બસની અડફેટે લઈ લીધો હતો.ઘટનાને કારણે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અજાણ્યાં વ્યક્તિનાં પરિવારની પણ તપાસની શરૂઆત કરીને ST બસચાલકને પકડવા માટેની તપાસ શરૂ કરી છે.

અકસ્માતને લીધે લોકોનાં ટોળે વળી ગયાં હતાં. અહી ઉલ્લેખનીય છે, કે ST બસ દ્વારા ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણાં નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતાં રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *