ક્યારે શાંત થશે બિપોરજોય વાવાઝોડું? અંબાલાલ પટેલે આપી અતિ મહત્વની જાણકારી

Ambalal Patel Prediction: ગુજરાતના માથે આવી રહેલા મોટા શંકટ બિપરજોય વાવાઝોડાને(Biparjoy Cyclone) લઈ ને તમામ લોકો ચિંતાતુર થઈ રહ્યા છે.વાવાઝોડાને પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ  મોડમાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વાવાઝોડા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને લોકોને વાવાઝોડા(Ambalal Patel Prediction) થી સાવધાન રહેવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.

જયારે વાવાઝોડાને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પણ ચોકાવનારી આગાહી કરી છે. તેમને જણાવ્યું છે કે,આ વાવાઝોડું એટલું ઘાતક છે કે તેની અસર પશ્ચિમના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં વધુ પડતી જોવા મળશે અને પુર જેવી સ્થિતિ પણ સર્જાશે. આ ઉપરાંત ગુજરાતના ઘણા બધા ભાગોમાં અને રાજસ્થાનમાં પણ વિનાશ વેરી શકે છે.

અંબાલાલે જણાવે પ્રમાણે,વાવાઝોડાના અલગ અલગ પડ હોય છે. જેને કારણે પવનની ઘટીમાં પણ વધઘટ જોવા મળે છે. અને ગુજરાત તેમજ તેમના પડોશી રાજ્ય સહિત દેશના અડધા ભાગમાં વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આજ સાંજ સુધીમાં વાવાઝોડું કચ્છના જખો બંદર સાથે ટકરાશે.

અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ તે તેનું ઉગ્ર સ્વરૂપ પણ જોવા મળશે. વાવાઝોડું જ્યાં ટકરાશે  ત્યાં 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત આ વાવાઝોડા જ્યાં પણ ટકરાશે ત્યારે તારીખ 15,16 અને 17 સુધી ભારે થી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે. છેવટે અંબાલાલ જણાવ્યું કે વાવાઝોડું આ અઠવાડિયા માં સાંત થયી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *