અમિત શાહ મંત્રી બનાવવા માટે ફોન કરતા રહ્યા પણ આ નેતાએ ફોન જ ન ઉંચક્યો…

વડાપ્રધાન મોદીની કેબિનેટમાં સૌથી ચોંકાવનારું નાન પ્રતાપ ચંદ્ર સારંગીનું હતું. ઓડિશાના મોદી તરીકે મશહુર બાલાસોરના આ સાંસદની મંત્રી બનાવાની કહાણી સૌથી રસપ્રદ છે. સારંગીને મંત્રી…

વડાપ્રધાન મોદીની કેબિનેટમાં સૌથી ચોંકાવનારું નાન પ્રતાપ ચંદ્ર સારંગીનું હતું. ઓડિશાના મોદી તરીકે મશહુર બાલાસોરના આ સાંસદની મંત્રી બનાવાની કહાણી સૌથી રસપ્રદ છે. સારંગીને મંત્રી બનાવવાં માટે જ્યારે અમિત શાહ કોલ પર કોલ કરી રહ્યાં હતા ત્યારે તેઓ પોતાનો ફોન સાઇલેન્ટ પર રાખીને ભૂલી ગયાં હતા.

સારંગીએ એક ખાનગી ન્યુઝ ચેનલને કહ્યું કે, બપોરના ત્રમ વાગ્યે મારી પાસે ફોન આવ્યો કે તમારી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ વાત કરવા માગે છે, ફોન કેમ નથી ઉપાડતાં? એ સમયે હું BJP કાર્યાલયમાં હતો અને ફોન સાઇલન્ટ રાખીને કાર્યકર્તાઓ સાથે બેઠો હતો. જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે વાત થઇ તો એ બોલ્યા કે સાંજે સાત વાગ્યે તમારે મંત્રી પદની શપથ લેવાની છે અને એ પહેલા સાંજે પાંચ વાગ્યે વડાપ્રધાન સાથે એક બેઠકમાં પણ પહોંચવાનું છે.

સારંગીને આ વાત પર હેરાની થઇ. સારંગીએ અમિત શાહને કહ્યું કે હું કેમ મંત્રી પદની શપથ લઉં. પછી અમિત શાહે કહ્યું કે તમારે જ શપથ લેવાની છે. તમે ધર્મેન્દ્ર પ્રધાનની સાથે આવી જજો. હું ધર્મેન્દ્ર પ્રધાનના ઘરે ગયો તો તેઓ બોલ્યા કે મને પણ અત્યારે જ ફોન આવ્યો છે કે તમને સાથે લેવાના છે.

પ્રતાપ ચંદ્ર સારંગીનું નામ ગુરૂવારથી જ આખાં દેશમાં ચર્ચાનું કારણ બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *