જૂનાગઢમા શાળામાં એચ.કે.જી.ના વિદ્યાર્થીને શિક્ષીકાએ ઢોર માર માર્યો

જૂનાગઢના જોષીપરામાં આવેલી એક ખાનગી શાળામાં એચકેજીના વિદ્યાર્થીને એબીસીડી ન આવડતા શિક્ષીકાએ તેને માર માર્યો હતો. આ બાબતની જાણ થતા વિદ્યાર્થીના વાલીએ આજે શાળાએ જઈ…

જૂનાગઢના જોષીપરામાં આવેલી એક ખાનગી શાળામાં એચકેજીના વિદ્યાર્થીને એબીસીડી ન આવડતા શિક્ષીકાએ તેને માર માર્યો હતો. આ બાબતની જાણ થતા વિદ્યાર્થીના વાલીએ આજે શાળાએ જઈ રજૂઆત કરી હતી. બાદમાં વિદ્યાર્થીની માતાએ શિક્ષીકા સામે બી ડિવીઝનમાં ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ શહેરના જોષીપરામાં આવેલી નેબ્યુલા સ્કુલમાં એચકેજીમાં અભ્યાસ કરતા જય વાઘેલા નામનો વિદ્યાર્થી ગઈકાલે શાળાએ ગયો હતો. ત્યારે તેને ક્લાસમાં એબીસીડી ન આવડતા તેના શિક્ષીકાએ તેને માર માર્યો હતો. સાંજે વિદ્યાર્થી ઘરે પહોંચ્યો ત્યારે રડતો હતો. તેના યુનિફોર્મ બદલાવતી વખતે જયની પીઠ પર મારના નિશાન જોવા મળ્યા હતા અને બાળકે શિક્ષીકાએ માર માર્યાનું જણાવ્યું હતું. આથી આજે વિદ્યાર્થીના વાલી શાળાએ પહોંચ્યા હતા. અને ત્યાં રજૂઆત કરી હતી. બાદમાં રેણુકાબેન રાજેન્દ્રભાઈ વાઘેલાએ જયને માર મારવા બદલ શિક્ષીકા સામે ફરિયાદ કરતા બી ડિવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *